આજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બનવા આવી રહ્યા છે. તેમના જાજારમાન સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે. સમગ્ર રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવશે.
- Advertisement -
મોરેશિયસ દેશના વડાપ્રધાન સહિતનો કાફલો સોમવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યાં છે. મોરેશિયસના વડાપ્રધાન અને તેમનો કાફલો એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શો કરવાના છે. આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. રોડ શો સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટેનો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યાનું ટ્રાફિક શાખાના એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું છે.

- પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચરથી તેમનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

- આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે દરમિયાન કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. રાજકોટ અને જામનગરના કાર્યક્રમો માટે 40 દેશના 140 ડેલિગેટ્સ આવશે. રાજકોટની રિજન્સી લગુનમાં ડિનર સહિતના કાર્યક્રમો રખાયા છે. આવતીકાલે મોરેશિયસના પ્રધાનમંત્રી જામનગર જશે.
- જુની એન.સી.સી ચોકથી એરપોર્ટ સર્કલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ જુની એન.સી. સી ચોકથી રેસકોર્ષ રીંગ રોડ આમ્ રપાલી અંડર બ્રીજથી રૈયા રોડ થઈને હનુમાનમઢી ચોક તથા એરપોર્ટ તરફ જઈ શકશે.

- જેથી આ રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી એરપોર્ટ ફાટકથી જુની.એન.સી.સી સુધીના રોડ ઉપર (રોડ શો માં જોડાયેલ અને સરકારી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો – પાર્કિંગ રહેશે.
- એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ ગીતગુજરી શેરી નં ૩ થી રૈયા રોડ આમ્રાલાપી અંડરબ્રીજથી રેસકોર્ષ રોડથી જઈ શકશે
- રોડનો શોનો કાર્યક્રમ: બપોરના 4 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીનું આગમન. 4.15 વાગ્યે મોરેશિયના પ્રધાનમંત્રીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. 4.15થી 5 વાગ્યા સુધી રોડ શો ચાલશે. રોડ શોમાં રૂટ પર અલગ અલગ 25 સંસ્થાઓ દ્વારા સ્વાગત. 5 વાગ્યે રોડ શો પૂરો થશે. પાંચ વાગ્યા બાદ મોરેસિસનાના પ્રધાનમંત્રી હોટેલમાં જશે.



