- પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાધો
- ભાઈને ગળેફાંસો ખાતો વ્હોટ્સએપ્પ પર ફોટો મોકલી આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સામૂહિક આપઘાતની આ ઘટના મામલે એસીપી જેટી સોનારાએ જણાવ્યું કે, આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે. રાત્રે તેના ભાઈને ગળેફાંસો ખાતો વ્હોટ્સએપ્પ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વ્હોટ્સએપ્પ પર મેસેજ મોકલી આપ્યો હતો. સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો. પરંતુ ભાઈએ ફોન રિસીવ ના કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા.
- Advertisement -
સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો.જેને લઇ આ સમગ્ર બનાવવાની જાણ થઈ હતી અને ત્યારબાદ તેમણે પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવ્યું છે કે મૃતક મહિલાના હાથમાંથી થોડું બ્લડ નીકળ્યું છે અને ઓશીકા વડે મોઢું દબાવ્યું હોય અથવા તો કોઈ દવા આપી હોય, જ્યારે બાળકને પણ દવા આપવામાં આવી હોય એવું અમારું પ્રાથમિક અનુમાન છે જોકે પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર બાબતની સ્પષ્ટ થશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપઘાત કરનાર યુવક પાસેથી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે તેમાં માત્ર તેનો મોબાઈલ નંબર અને પાસવર્ડ જ લખવામાં આવ્યો છે. પોલીસને એક જ વિડીયો તેના મોબાઈલમાંથી મળ્યો છે.
જેમાં તેણે જણાવ્યું છે કે મને મારા ભાઈ બોલાવતા નથી મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી જેનું મને મન દુ:ખ છે. પોલીસ તપાસમાં વ્યાજને લઈને કે રૂપિયાને લઈને આપઘાત કર્યો હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી કે તેને કોઈ પરેશાન કરતું હોય તેવા નામ પણ પોલીસને મળી આવ્યા નથી. જોકે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.આ આત્મહત્યા અંગે પિનાકિન પરમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર અ-56માં એક પરિવારના 3 સભ્યએ આપઘાત કર્યો છે.
પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતાં ત્રણ ડેડબોડી મળી આવી છે. એમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.DSPએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે.
- Advertisement -
આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે.વધુમાં જણાવ્યું હતું હાલ તો અમે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.