By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    2 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    2 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    2 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મંત્રઊર્જા, માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા અને વેદમાતા ગાયત્રી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મંત્રઊર્જા, માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા અને વેદમાતા ગાયત્રી!
AuthorParakh Bhattધર્મ

મંત્રઊર્જા, માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા અને વેદમાતા ગાયત્રી!

Khaskhabar Editor
Last updated: 2021/10/02 at 1:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે.

– પરખ ભટ્ટ

અસાધ્ય ગણાતાં રોગોનાં ઉપચાર બાબતે વેદિક સંસ્કૃતિ ઘણી આગળ હતી. રામાયણનાં યુધ્ધ સમયે જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણ પર છોડવામાં આવેલા બાણને પ્રતાપે તેઓ મૂર્છાને વશ થઈ ગયા હતાં, તે વખતે પવનપુત્ર હનુમાને હિમાલય પરની સંજીવની જડીબુટ્ટી થકી તેમનાં પ્રાણની રક્ષા કરી હતી. આજે જ્યારે આ તમામ કથાઓ પર પુનર્દ્રષ્ટિ પડે છે ત્યારે સમજાય છે કે આ કોઈ ચમત્કાર નહી, પરંતુ શત-પ્રતિશત વિજ્ઞાનનો ખેલ હતો.

Contents
આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે. – પરખ ભટ્ટ ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતુંગાયત્રીમંત્રની શરૂઆત ॐ થી થાય છે. આ કારણોસર તૈતરિય અરણ્યકમાં ‘ઓમ’ને કોઈ પણ મંત્રની શરૂઆત પહેલા અનિવાર્ય ગણાવાયો છે. ગાયત્રીમંત્રમાં ઓમકારનાદ વિશેનો અત્યંત ગહન ઉલ્લેખ છે :(૧) ॐ भूर्भुवः स्वः· ભૂર્‍ : પૃથ્વી· ભૂવઃ : ગ્રહો· સ્વઃ : આકાશગંગાઓ(૨) तत्सवितुर्वरेण्यं· તત : તે (ભગવાન)· સવિતુર્‍ : સૂર્ય· વરેણ્યમ : પ્રણમ્ય છે(૩) भर्गो देवस्यः धीमहि· ભર્ગો : પ્રકાશ· દેવસ્ય : તે દૈવત્વનું· ધિમહી : આપણે ધ્યાન ધરવું જોઈએ(૪) धियो यो नः प्रचोदयात् · ધિયો : મેધા · યો : જે · નઃ : અમારી · પ્રચોદયાત : પથપ્રદર્શિત કરો 

ભૂતકાળમાં એવું મનાતું હતું કે રંગસૂત્ર ફક્ત બે તંતુનાં બનેલ છે; જ્યારે થોડા વર્ષો પહેલા થયેલ અમુક જૈવિક પ્રયોગો મુજબ, તેમાં વધારાનાં દસ તંતુઓ હોવાની સાબિતી મળી આવી છે. આ એવા દસ તંતુઓ છે, જે સતત પરિવર્તનશીલ છે, બદલાયા રાખે છે. જ્યારે આ શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને ખાસ કશી ગતાગમ ન પડી હોવાને લીધે નવા શોધાયેલા તંતુઓને ‘જંક (કામ વગરનાં/ફાલતુ) ડીએનએ’ નામ અપાયું. તાજેતરમાં રશિયન વૈજ્ઞાનિકોએ ખોળી કાઢ્યું કે જંક ડીએનએ તે ખરેખર માણસની જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. તેમનાં પર અલગ-અલગ આવર્તન (ફ્રિકવન્સી) તેમજ તીવ્ર પકાશ પાડવામાં આવે તો તેઓ માનવશરીરમાં અસામાન્ય ફેરફારો કરી શકવા સક્ષમ છે. તેમનામાં અસાધ્ય રોગો પર વિજય મેળવવાની ક્ષમતા છે. ટેલિપથી, ભવિષ્યનો પૂર્વાભાસ, રૂપ બદલી શકવા જેવાં અદભુત કાર્યો ડીએનએ વડે શક્ય છે. હવે માણસગત સ્વભાવ અનુસરતાં, એવો પ્રશ્ન થવો સાવ સ્વાભાવિક છે કે અમુક ચોક્ક્સ પ્રકારની ફ્રિકવન્સી અને લાઈટનો સંયોગ કઈ રીતે ઉભો કરી શકાય જેથી માણસજાત સુપર-હ્યુમન કેટેગરીમાં પ્રવેશ મેળવી શકે!

- Advertisement -

આનો જવાબ ખૂબ સરળ છે. યાદ છે પ્રાચીનકાળમાં થતાં મંત્રોચ્ચારિત યજ્ઞો, જેમાં પાંચ-છ ઋષિ-મુનિઓ એક વર્તુળમાં બેસી હોમ-હવન અને જાપ કરતા? (હાલમાં પણ થાય જ છે પરંતુ અમુક ક્ષતિઓને કારણે તેમની અસરકારકતા અને સત્વ ઘણાખરા અંશે નાશ પામ્યા છે) આવર્તનોની વૈવિધ્યતા ધરાવતાં મંત્રો અને પ્રચંડ પ્રકાશ ધરાવતી યજ્ઞકુંડની જ્વાળા તેમનાં આખા શરીરને સમય-સમયાંતરે રોગમુક્ત બનાવી દેતી હતી. યજ્ઞનું યથાર્થ વિજ્ઞાન તેઓ જાણે પચાવી ચૂક્યા હતાં. યજ્ઞકુંડની અગ્નિમાં કેટલા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ ઉમેરવો જેથી તે નિર્ધારિત પ્રકાશ-ઉર્જા વાતાવરણને આપી શકે તેનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું. સમસ્યા એ છે કે બસ્સો વર્ષ સુધી રાજ કરી ગયેલ અંગ્રેજોનાં પ્રતાપે આજે આપણને આપણી મૂળ સંસ્કૃતિનાં તથ્યો પણ ચમત્કાર કે જાદુ લાગી રહ્યા છે. પુરાતન યુગમાં એવા મંત્રોનું નિર્માણ થયું હતું જેમને અમુક તીવ્રતા સાથે ઉચ્ચારાતાં શરીરનાં કોઈ નિશ્ચિત ભાગ પર પોતાની અસર દેખાડે. સ્પષ્ટ વાણી, સંસ્કૃત ભાષાનું ઉચ્ચતર જ્ઞાન તેમજ મનની શુધ્ધતાનાં પરિણામે ઋષિઓ પોતાનાં મંત્રોચ્ચાર થકી પાવરફુલ ઓરા ઉભો કરી શકતાં, જે તેમને નિશ્ચિત ફળ મેળવવામાં મદદરૂપ થતો. આજે ગાયત્રીમંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગરૂડ મંત્રની પોતપોતાની ખાસિયતો છે કારણકે આ દરેકનાં ઉચ્ચારણમાં અલગ-અલગ આરોહ-અવરોહ અને આવર્તનો જોવા મળે છે. જેનાં લીધે શરીરનાં વિવિધ ભાગો પર તેમજ રંગસૂત્રોમાં જુદી-જુદી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. આ ટેકનિક વડે તેઓ મહારોગમાંથી સરળતાપૂર્વક છુટકારો મેળવી શકતા તેમજ અન્ય જીવનું પણ રૂપ ધારણ કરી શકતાં!

રામાયણમાં સીતાહરણ પ્રસંગ સમયે સોનેરી મૃગનો ભેખ ધરીને પ્રગટ થતો મારિચ રાક્ષસ આનું જ એક ઉદાહરણ કહી શકાય. તદુપરાંત, હનુમાનની અષ્ટસિધ્ધિનું વર્ણન પણ અહીં આવશ્યક બની જાય છે : (૧) અનિમા (૨) લઘિમા (૩) મહિમા (૪) ગરિમા (૫) પ્રાપ્તિ (૬) પ્રકમ્ય (૭) ઇસિત્વ (૮) વસિત્વ. એવું માનવામાં આવે છે કે આ તમામ સિધ્ધિઓ વડે પવનપુત્ર હનુમાન સંજીવની પહાડ જેવડાં વિશાળકાય તેમજ પંખીના પીંછા જેટલા હળવા બની શકતાં! આજનાં ડીએનએ લોજીક સાથે ઉપરોક્ત વાત ઘણા-ખરા અંશે મેળ ખાય છે. વૈજ્ઞાનિકો પણ હવે આ દિશામાં વિચારતાં થઈ ગયા છે. અત્યાર સુધી જે શાસ્ત્રો ફક્ત પંડિતપોથીમાં સીમિત બનીને રહી ગયા હતાં તેમનો અભ્યાસ કરવા પર વિજ્ઞાન મજબૂર થઈ ગયું છે.

તાજેતરમાં, રશિયન સંશોધકોએ ડીએનએ પર કાબુ હાંસિલ કરવા માટે, કાચિંડાનાં જીનેટિક્સનો ઉપયોગ કરીને ફક્ત પ્રકાશ (લેસર-ટીટમેન્ટ)ની તીવ્રતા વધારી-ઘટાડી દેડકાંના ગર્ભને કાચિંડામાં પરિવર્તિત કર્યો છે. દેડકા પર કોઈ જાતની ચીરફાડ, કાપકૂપ કે દવાદારૂ વગર માત્ર અસરકર્તા રંગસૂત્રને ટાર્ગેટ બનાવવાનો આ અદભુત પ્રયોગ આશ્ચર્યજનક રીતે સફળ છે. વૈજ્ઞાનિકોએ ગાયત્રી મંત્ર દ્વારા થતી અસરો વિશે ઘણું ઉંડુ રિસર્ચ કર્યુ છે. તેનાં પ્રત્યેક અક્ષરોમાં બીજ-મંત્ર હોવાનું જાણવા મળ્યું છે. દરેક મંત્રોની શરૂઆતમાં ‘ॐ’ કાર આવશ્યક છે. કારણકે તે પોતે સૌથી શક્તિશાળી બીજ-મંત્ર છે.

- Advertisement -

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥

માનવામાં આવે છે કે બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું. જગતજનની માં ગાયત્રીને વેદોએ સર્વ-દુઃખનિવારિણી કહી છે. ગાયત્રીમંત્રમાં રહેલા ૨૪ અક્ષરો ચોવીસ અલગ-અલગ બીજમંત્રો છે જેની શરીરનાં ૨૪ ભાગો પર વિવિધ અસર જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક ધરાવતાં વાલ્મિકી રામાયણમાં, દર એક હજાર શ્લોક પછી શરૂ થતાં નવા શ્લોકનો પહેલો અક્ષર ગાયત્રી શ્લોકનો બીજમંત્ર છે. જર્મની સ્થિત હેમબર્ગ યુનિવર્સિટીએ ગાયત્રીમંત્રનાં અક્ષરો તેમજ તેનાં ઉચ્ચારણ થકી પેદા થનારા ધ્વનિ-તરંગો પર ઉંડાણપૂર્વકનું સંશોધન આદર્યુ છે. એવું કહેવાય છે કે ચોવીસ અક્ષરો વડે ઉત્પન્ન થનાર આ ધ્વનિ-તરંગો જ્યારે એકીસાથે ક્રમ પ્રમાણે ઉચ્ચારાય છે ત્યારે માનવ-શરીર પર વિશેષ પ્રકારની અસર દેખાડે છે!

અમેરિકન સાયન્ટિસ્ટ ડૉ.હાવર્ડ સ્ટેઇનગેરિલે પોતાની ફિઝિયોલોજી લેબમાં ગાયત્રીમંત્રનાં ધ્વનિ-તરંગ પર વિગતવાર અભ્યાસ કર્યો. પ્રાપ્ત થયેલ ડેટામાં જોવા મળ્યું કે ગાયત્રીમંત્ર પ્રતિ સેકન્ડે ૧,૧૦,૦૦૦ ધ્વનિ-તરંગનું ઉત્સર્જન કરે છે, જે વિશ્વનાં અન્ય કોઈ પણ શ્લોક અથવા મંત્ર કરતાં સૌથી વધુ શક્તિશાળી હોવાની સાબિતી આપે છે. તેમણે નોંધ્યું કે જ્યારે-જ્યારે આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે-ત્યારે તેમાંના બીજમંત્રો માનવશરીરની અમુક ગ્રંથિઓ માટે પાસવર્ડનું કામ કરે છે. સુષુપ્ત પડી રહેલી કેટલીક નાડીઓને ગાયત્રીમંત્ર વડે એક્ટિવેટ કરી શકાય તેમ છે!

બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું

મંત્રવિદ્યાનાં તજજ્ઞો જાણે છે કે કોઈ પણ મંત્રનાં ઉચ્ચારણ સમયે ગળું, દાંત, હોઠ, જીભ અને મુખના પોલાણનો ઉપયોગ થાય છે. ગાયત્રીમંત્રનાં ચોવીસેય અક્ષરો શરીરની ચોવીસ ગ્રંથિઓ સાથે જોડાયેલા છે, જેને સાધક મંત્રોચ્ચારણ વડે જાગૃત કરી શકે છે. જેમ-જેમ સાધકનો અભ્યાસ વધતો જાય એમ ધ્વનિ-તરંગો અવકાશમાં પ્રક્ષેપિત થઈ ચોક્ક્સ સમયાંતરે પરત ફરીને, પુનઃ શરીરનાં કોઈ ચોક્ક્સ ભાગ પર પોતાની નિર્ધારિત અસર દેખાડે છે. (નાનપણથી આપણે ભણતાં આવ્યા છીએ કે ઉર્જાનો નાશ કે તેનું ઉત્સર્જન શક્ય નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. મોઢામાંથી બોલાયેલા શબ્દો અવકાશમાં ભ્રમણ કર્યા રાખે છે. કારણકે ધ્વનિ-ઉર્જાનો નાશ શક્ય નથી. આ થિયરી પર જ ગાયત્રીમંત્ર કામ કરે છે! ફર્ક એટલો છે કે સુવ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલા બીજ-મંત્રોને કારણે એક રાગમાં ઉચ્ચારાતાં મંત્રમાંના અક્ષરો અવકાશમાં ભ્રમણ પામ્યા બાદ બમણી ઉર્જા સાથે પુનઃ સાધક પાસે જ પરત ફરે છે.)

માનવશરીરમાં સાત ચક્રો સુષુપ્ત અવસ્થામાં બિરાજમાન હોય છે. કુંડલિની જાગરણ વિધિ વખતે આ તમામ ચક્રોને સાત અલગ-અલગ બીજ-મંત્રો વડે જાગૃત કરવામાં આવે છે.ઉપરાંત, શરીરમાંની ૭૨૦૦૦ નાડીઓનું જોડાણ મુખ સાથે થયેલું છે. જ્યારે પણ આપણે જીભ વડે કશુંક બોલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બે નાડી એકબીજા સાથે સંધાન પામે છે. ગાયત્રીમંત્રની ખાસિયત એ છે કે તેનાં ઉચ્ચારણ સમયે ફક્ત બે નાડી નહી, પરંતુ ચોવીસ નાડી જાગૃત અવસ્થામાં આવી જાય છે. આ એ ચોવીસ નાડીઓ છે, જે વ્યક્તિમાં અલગ-અલગ ગુણોનું સિંચન કરે છે. તાપિની, સફલતા, વિશ્વ, તુષ્ટિ, વરદા, રેવતી, સૂક્ષ્મ, જ્ઞાન, ભર્ગ, ગોમતી, દેવિકા, વરાહી, સિંહની, ધ્યાન, મર્યાદા, સ્ફૂટ, મેધા, યોગમાયા, યોગિની, ધારિણી, પ્રભાવ, ઉષ્મા, દ્રશ્ય અને નિરંજન જેવા કુલ ચોવીસ ગુણો ગાયત્રીમંત્ર વડે પ્રાપ્ય છે!

ગાયત્રીમંત્રની શરૂઆત ॐ થી થાય છે. આ કારણોસર તૈતરિય અરણ્યકમાં ‘ઓમ’ને કોઈ પણ મંત્રની શરૂઆત પહેલા અનિવાર્ય ગણાવાયો છે. ગાયત્રીમંત્રમાં ઓમકારનાદ વિશેનો અત્યંત ગહન ઉલ્લેખ છે :
(૧) ॐ भूर्भुवः स्वः
· ભૂર્‍ : પૃથ્વી
· ભૂવઃ : ગ્રહો
· સ્વઃ : આકાશગંગાઓ

આપણે જાણીએ છીએ કે ૯૦૦ આરપીએમ (રોટેશન પર મિનિટ) પર ઘૂમતો ઘરનો સામાન્ય પંખો પણ હવા સાથે ઘર્ષણ પામી ઘોંઘાટ પેદા કરે છે. તો પછી આ થિયરીમાંથી આપણી મિલ્કી-વે (આકાશગંગા) કઈ રીતે બાકાત રહી શકે?! સૂર્ય ૨૨.૫ કરોડ વર્ષોને અંતે આકાશગંગા ફરતે એક ચક્કર પૂરું કરે છે. આપણી પૃથ્વી (તેમજ સૂર્યમંડળ) ૨૦,૦૦૦ માઈલ પ્રતિ સેકન્ડની ગતિએ આકાશગંગા ફરતે ગોળ ચક્કર લગાવી રહી છે! આટલી ભ્રમણગતિને લીધે અવકાશમાં પ્રચંડ ધ્વનિ પેદા થાય છે. જે સૌપ્રથમ ઋષિ વિશ્વામિત્રનાં ધ્યાનમાં આવ્યું. અનંત બ્રહ્માંડમાં સંભળાઈ રહેલા ધ્વનિને તેમણે ‘ઓમ’ નામ આપ્યું. ગાયત્રીમંત્રનો પ્રથમ ભાગ ઉપરોક્ત હકીકત પરથી પડદો હટાવવાનું કામ કરે છે!

(૨) तत्सवितुर्वरेण्यं
· તત : તે (ભગવાન)
· સવિતુર્‍ : સૂર્ય
· વરેણ્યમ : પ્રણમ્ય છે

મંત્રનો બીજો ભાગ આપણને નિરાકાર બ્રહ્મની અનુભૂતિ કરાવે છે. નિરાકાર-નિર્ગુણ પરમ બ્રહ્મને ઓળખવા માટે સાક્ષીભાવે હાજર રહેલા સૂર્ય-પ્રકાશ તેમજ ‘ઓમ’નાં ધ્વનિનો ઉપયોગ કરી શકાય છે.

(૩) भर्गो देवस्यः धीमहि
· ભર્ગો : પ્રકાશ
· દેવસ્ય : તે દૈવત્વનું
· ધિમહી : આપણે ધ્યાન ધરવું જોઈએ

‘ઓમકાર’નાં જપ થકી હાલ વિશ્વમાં સાક્ષાત હાજરાહજૂર (સૂર્ય-પ્રકાશ) એવા દૈવત્વનું ધ્યાન ધરવાથી ઈશ્વરની સમીપ પહોંચી શકાય છે.

(૪) धियो यो नः प्रचोदयात्
· ધિયો : મેધા
· યો : જે
· નઃ : અમારી
· પ્રચોદયાત : પથપ્રદર્શિત કરો 

ગાયત્રીમંત્રનાં ચોથા અને છેલ્લા ભાગનો અર્થ છે : હે ઈશ્વર, અમારી મેધાને યોગ્ય માર્ગ સૂચિત કરો. ચારેય ભાગનું પોતપોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં સિધ્ધ થયું છે કે ગાયત્રીમંત્રનું નિરંતર ધ્યાન, માનવશરીરનાં પુષ્કળ ઉર્જા-કેન્દ્રોને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લઈ આવવા મદદરૂપ બને છે. બીજ-મંત્રોનાં ઉચ્ચારણ સમયે ધ્વનિ-કંપનને લીધે મગજની ચોફેર ચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જિત થાય છે જે મસ્તિષ્કને જુદા-જુદા પ્રકારની શક્તિ અર્પણ કરે છે. (જેને હાલ આપણે ‘ચમત્કાર’ અથવા ‘જાદુ’થી ઓળખીએ છીએ!) અમેરિકન સ્પેસ-કંપની નાસા અત્યારે વિવિધ અવકાશીય પ્રયોગો અંતર્ગત બીજ-મંત્રને પોતાનો હાથો બનાવી રહી છે. મોટા-મોટા ટ્રાન્સમિટર્સ વડે અવકાશમાં ‘ઓમ’ નાદ ટ્રાન્સમિટ કરી પરગ્રહવાસીને પૃથ્વી તરફ આકર્ષવાનાં પ્રયત્નો ચાલુ છે. પ્રયોગ વડે એલિયન્સની હાજરી પકડી શકાશે કે કેમ એ તો ખ્યાલ નથી પરંતુ એક વાત તો જરૂર સાબિત થાય છે કે ખુદ અમેરિકા પણ ભારતીય વેદ-પુરાણોને ફક્ત કપોળ-કલ્પિત શાસ્ત્રો ન ગણતાં તેની સત્યતા સ્વીકારે છે.

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ અને ‘‘પ્લોગીંગ રન’’ યોજાઈ
Next Article ડાકોરમાં પૂજા કરવા મહિલાઓ પહોંચી તો અટકાવાઈ : મંદિરને તાળા લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?