મેમણ જમાતખાના ટ્રસ્ટનું ગ્રાઉન્ડ ફ્લોરનું વાણીજ્ય હેતુનું બાંધકામ તોડી પડાયું
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.7 માં હાથીખાના મેઈન રોડ પર ગોલ્ડ શોક બિલ્ડીંગની બાજુમાં શ્રી કરીમપુરા મેમણ જમાતખાના ટ્રસ્ટ દ્વારા ખડકાયેલું ગ્રાઉન્ડ ફ્લોરનું વાણીજ્ય હેતુનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.
- Advertisement -
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાની ત્રણેય ઝોન કચેરીનો તમામ ટેકનીકલ સ્ટાફ, રોશની શાખા, જગ્યા-રોકાણ શાખા, ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.