ગ્રંથાલય વિકાસના દાવા હવામાં ફંગોળાયા!
- Advertisement -
આઝાદી પછીના વર્ષોમાં શૈક્ષણીક અને વિશિષ્ટ ગ્રંથાલયો ખીલવવા તત્કાલીન સરકારોએ ધણા સારા પ્રયાસો કર્યા છે. યુનેસ્કો નામની આંતર રાષ્ટ્રીય સંસ્થાએ પણ ભારતના જાહેર ગ્રંથાલયોને વિકસાવવા મદદ કરી છે.
ભારતમાં જ્ઞાનની પરંપરા છેક ૠગ્વેદ કાળથી ચાલી આવે છે. ઇ.સ. પૂર્વે 543 એટલે આજથી 2563 વર્ષ પહેલાં તાડપત્રો પર લખાવાનુ શરૂ થયું હતું ત્યારથી રાજા મહારાજાઓ અને પંડિતો પોતાના ગ્રંથાલયો રાખતા હતા 16 માં સૈકામાં મોગલ શાસનમાં પણ ગ્રંથાલયો હતા.
બાબર બાદશાહે ” તુજકી- ઇ બાબરી” નામનો ગ્રંથ પોતાના ગ્રંથાલયમાં બેસીને લખ્યો હતો. ઇ.સ. 1555 માં હુમાયુ બાદશાહે શેરશાહના આનંદ ભવનને ગ્રંથાલય માં ફેરવી નાખ્યું હતુ.
- Advertisement -
અંબર નરેશ અને જયપુર નાં સ્થાપક મહારાજા સવાઇ જયસિંહે ઇ.સ. 1742 માં તેના રાજયમાં ખગોળ – સંસ્કૃત- ગ્રીક અને અરબી સાહિત્ય સાથેનું ગ્રંથાલય શરૂ કર્યું હતું ઇ.સ. 1784 માં કલકતામાં એસિયાટીક રીસર્ચ સોસાયટી તળે ગ્રંથાલય શરૂ થયું હતું જેમાં વોર્ન હેસ્ટીંગ આ સંસ્થાનો પહેલો આશ્રયદાતા હતો તેણે સંસ્થાને દરેક જાતનું ઉતેજન આપ્યું હતુ.
ઇ.સ. 1856 માં રાજકોટમાં લેંગ લાઇબ્રેરી, ઇ.સ.1868 માં લખધીર લાઇબ્રેરી રાજકોટમાં સ્થપાઈ હતી. ઇ.સ. 1867 માં જૂનાગઢ માં ઇ.સ. 1882 માં ભાવનગરમાં બાટર્ન લાઇબ્રેરી ઇ.સ. 1884 માં ગોંડલમાં ભગવતસિંહ લાઇબ્રેરી ઇ.સ. 1891 માં વાંકાનેર માં વિકટોરીયા લાઇબ્રેરી તથા ઇ.સ. 1892 માં બોટાદમાં તખ્તસિંહજી લાઇબ્રેરી અને ઇ.સ. 1880 માં માણાવદરમાં ગજનફર ગ્રંથાલય સ્થપાયું હતું માણાવદર સિવાયના બધા ગ્રંથાલયો હાલમાં ચાલું છે.
માણાવદરના બંધ પડેલા ગ્રંથાલયમાં 5000 થી વધારે ગ્રંથો – પુસ્તકો સચવાયા છે જે આજે સડી રહયા છે. અહીં 200 જેટલા અંગ્રેજી, હિન્દી ગ્રંથો, 500 થી વધારે સામાજીક સ્તરના પુસ્તકો, 50 જેટલાં ઐતિહાસિક સંદર્ભ ગ્રંથો, 40 જેટલા ઉર્દૂ ગ્રંથો, 30 જેટલા અરબી ગ્રંથો, 2000 થી વધારે વિવિધ પુસ્તકો, 100 જેટલા બાળગ્રંથો , ભગવદગોમંડળના નવ જેટલા ભાગો , તથા આજે જે અપ્રાપ્ય છે તે મહીકાંઠા- રેવાકાંઠાની ડિરેકટરીઓ. માણાવદર નો ઇતિહાસ, જૂનાગઢ તથા અન્ય રાજયોના ઇતિહાસો તથા માણાવદર સ્ટેટની કારકિર્દી વર્ણવતા અસંખ્ય પુસ્તકો આ ગ્રંથાલયમાં ઊધઇનો ભોગ બની રહયા છે.
ઉપરોક્ત પુસ્તકો ઢગલાની હાલતમાં અઢી- ત્રણ વર્ષથી ખડકી દેવાયા છે જેમના પર ધૂળના ઢગલા ચડી ગયા છે. આવા કિંમતી પુસ્તકોની હાલત સુધારવા અને લોકોને વાચનનો લાભ મળે તે માટે નગરપાલિકા ના મહિલા પ્રમુખ અંગત રસ દાખવે તેવી લોકોની માગણી છે
વર્તમાન મોદી સરકાર જયારે લોકોને વાચન તરફ વાળવા અથાક પરિશ્રમ કરી છે. ત્યારે માણાવદરના નગરજનોને આ ગ્રંથાલયનો લાભ મળે તેવા પ્રયાસો સરકાર તરફથી થાય તે ઇચ્છનીય છે
- જીજ્ઞેશ પટેલ માણાવદર