By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    3 hours ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    5 hours ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    24 hours ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    24 hours ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચેનાબ બ્રિજ: વિશ્વનો સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું 6 જૂને ઉદ્ઘાટન થશે
    2 hours ago
    પાકિસ્તાન માટે ‘જાસૂસી’ કરવાના આરોપમાં પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે સંબંધ ધરાવે છે
    3 hours ago
    દેશની સૌથી મોટી સોનાની લૂંટ: કર્ણાટકના વિજયપુરામાં બેંકમાંથી 52 કરોડ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું
    3 hours ago
    પાકિસ્તાનની ‘જો ચીન બ્રહ્મપુત્રના પ્રવાહને રોકે તો શું થશે’ ધમકી પર હિમંતા બિસ્વા શર્માનો કડક જવાબ
    3 hours ago
    મોરક્કોમાં ઇદના તહેવારમાં બકરાની કુરબાની પર પ્રતિબંધ, ફરમાન સામે લોકો ગુસ્સે ભરાયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    2 hours ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    3 hours ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    4 hours ago
    વિરાટ કોહલી: મેં આ ટીમને મારી યુવાની, મારી શ્રેષ્ઠતા, મારો અનુભવ આપ્યો છે
    4 hours ago
    IPL 2025 ફાઇનલ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું
    4 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 hours ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    1 day ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    2 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    5 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા
Author

મહેન્દ્રભાઈ મેઘાણી: એક સદીની જીવનયાત્રા

Khaskhabar Editor
Last updated: 2022/08/04 at 4:32 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્રનું અવસાન

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર અને ગુજરાતમાં ગ્રંથના ગાંધી તરીકે ઓળખાતા ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણી નું ગઈકાલ રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આજે ગુરુવારે સવારે ભાવનગર શહેરના તેમના નિવાસ્થાન ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન ગઈકાલ રાત્રે 8 વાગે ભાવનગર ખાતે થયું હતું. આ સમાચાર થી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ‘લોકમિલાપ’ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ગ્રંથના ગાંધી બિરુદ પામ્યા હતા અને 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન – વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન થતા ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -

મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો…

2003માં મહેન્દ્રભાઈ મેઘાણી રાજકોટ આવ્યા ત્યારે પંચનાથ મંદિરની પાછળની શેરીમાં ગૌતમભાઈ પારેખના બહેનોના ઘરે ઉતર્યા હતા. રેણુકાબહેન અને તેમના બે બહેનોની ઉપસ્થિતિમાં હું મહેન્દ્રભાઈને મળવા ગયો અને પહેલી જ છાપ કેવી પડી, રેણુકાબહેને કહ્યુ: મહેન્દ્રભાઈ જમીને પોતાના વાસણ પોતે જ સાફ કરી નાંખે હો. મહેન્દ્રભાઈ એક જ ક્ષણમાં બોલી ઊઠ્યા: મારું જમવાનું પણ હું પોતે જ જમું છું ને એ વાતો પછીનો ઈન્ટરવ્યૂ તો સાંજ સમાચાર વર્તમાનપત્રમાં છપાયો અને મારાં પુસ્તક મજાના માણસને મળવાની મજામાં પણ સમાવ્યો પરંતુ ફક્ત વાંચન, પ્રકાશન, સંપાદન એમની ઓળખ નહોતી. એમનું પોતાનું જીવન કેટલું પ્રેરક હશે તેનું આ દૃષ્ટાંત હતું.

એ પછી તો એમના ભાવનગરના નિવાસ સ્થાન-મિલાપની પાછળ ફળિયામાં એમને મળવાનું થયું. છેલ્લે 2022ના મે માસમાં ભાવનગરમાં એમના નવા નિવાસ સ્થાને મળ્યો. ચિત્રલેખામાં ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો. એ સમયે તો ન લખ્યું પરંતુ આજે કહું, પહેલી કોપી 2800 શબ્દોની થઈ હતી. એટલી જગ્યા તો ક્યાંથી હોય, મેં જ કોપી એડિટ કરી, 2200, 1800 છેલ્લે 1500 આસપાસ શબ્દો છપાયા. તે સમયે મહેન્દ્રભાઈના પુત્ર ગોપાલભાઈને મેં કહ્યુ હતું કે મહેન્દ્રભાઈ વિશેનો આર્ટીકલ સંક્ષેપ કર્યા વગર કેમ છપાય, સંક્ષેપનો કસબ મહેન્દ્રભાઈને હાથવગો હતો.

- Advertisement -

અડધી સદીની વાંચન યાત્રા તો પુસ્તક સ્વરુપે આવી અને નવી પેઢી આ વાંચનના જુના જોગીને ઓળખતી થઈ. એમનું આ કાર્ય તો 1950ની 26મી જાન્યુઆરીથી મિલાપના માધ્યમથી શરુ થયું હતું. પ્રગાઢ વાંચન અને જ્ઞાનનો કોઈ ભાર મન ઉપર કે મોઢાં ઉપર નહીં. મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો. ગાંધીજીને લગ્ન પછી મળવા ગયા અને ઝવેરચંદ મેઘાણીનો અવાજ ગાતાં-ગાતાં થોડો ખરડાયો તો ગાંધીજીએ મહેન્દ્રભાઈને ઈશારો કર્યો કે તું ગા. નહેરુ સાથે તો મહેન્દ્રભાઈએ વિદેશ પ્રવાસ કરેલો ત્યારે ક્રુઝ પર તેઓ એકલા બેઠા હતા ત્યાં નહેરુ પહોંચ્યા અને નાનો સંવાદ થયો. સરદાર સાહેબ મોર્નિંગ વોકમાં જતા હતા ત્યારે મહેન્દ્રભાઈએ એમને નોકરીની મૌખિક અરજી કરી હતી.

આવી ઘણી બધી વાતો આજે સ્મરણના સંપૂટમાંથી બહાર આવી રહી છે. ઘંટી દળતાં દળતાં મહેન્દ્રભાઈને આ વાંચનની-પ્રકાશનની કેટલી બધી યોજનાઓ સૂઝી હતી. ઘરનું દળવાનું ખૂટી જાય તો પાડોશીઓનું અનાજ લાવીને દળી આપે. ભારત છોડો વખતે ટ્રેનના પાટા ઉથલાવવાનું પરાક્રમ કરનાર મહેન્દ્રભાઈએ કેટલા બધા લોકોની વાંચનની ગાડી પાટે ચડાવી. કેવા કેવા સંપાદનો આપ્યાં, કેટલા અનુવાદો. ગિજુભાઈ સાથે વાંચનયાત્રા, સ્વામી આનંદ સાથે વાંચન યાત્રા…

બહુ ઓછાં લોકોને ખબર હશે કે એમણે પોતે કોઈ એવોર્ડ, સન્માન સ્વીકારવા ઇનકાર કર્યો હતો. કોઈ પદ્મશ્રી વગેરે માટે વાત પણ કરે કે રસ્તા – ચોકને નામ આપવાની વાત કરે તો સ્પષ્ટ ઈનકાર. અને પછી હસતા હસતા કહે, સમાજ તો ભૂલ કરે એમાં એને આપણે સાથ ન અપાય. ભાવનગરમાં બાળકોને ફિલ્મ જોતાં કરનાર મહેન્દ્ર મેઘાણી પણ વર્ષો સુધી યાદ રહેશે. જવલ્લે જ મળે એવું જીવંત વ્યક્તિત્વ. છેલ્લે 2022ના મે માસમાં હું એમને મળ્યો ત્યારે સ્મૃતિ પહેલાં જેવી ધારદાર નહોતી. મારી વાતો-પ્રશ્નો સાંભળીને કહે, આપણે મોડા મળ્યા. મેં કહ્યું તમે ભૂલી ગયા. હું તમને અગાઉ ત્રણ વાર મળ્યો છું. પછી ભલામણ કરી, ગોપુભાઈને મળતા રહેજો. બીજી વાર અહીં આવજો. હા, હવે આવશું તો ખરા પરંતુ મળવાનું ગોપુભાઈને જ થશે. જો કે મહેન્દ્રભાઈ પોતે કંઈ નહીં બોલે પરંતુ એમના સંપાદનો, પ્રકાશનો, અનુવાદો તો ગૂંજશે સદાય.

(જવલંત છાયાની ફેસબૂક વોલ પરથી સાભાર)

You Might Also Like

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

TAGGED: mahendrabhaimeghani, ZaverchandMeghani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં બનશે લશ્કરી-ટ્રાન્સપોર્ટ એરક્રાફટ
Next Article આ વર્ષે રાખડીના ભાવમાં 30 થી 35 ટકાનો થયેલો વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ટંકારા: પાણી વિવાદ શહેરને એક કાંતરા પાણી મળ્યું, ભૂતિયા જોડાણ સામે આંખ મિંચામણા

Khaskhabar Editor Khaskhabar Editor 41 seconds ago
ચીખલી ગામે 12 બોરની બંદૂક તેમજ ઓજારો સાથે એક શખ્સ ઝડપાયો
નિજાનંદ પાઈપ વિરૂદ્ધ કરેલા રૂા. 74,17,807ના ચેક રિટર્ન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
રાજકોટના 153 ગામને પીવાનું શુદ્ધ પાણી મળશે
વાલીઓ નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકશે
બહારના 13 ઉમેદવારને વિસાવદર ધારાસભ્ય બનવા પ્રેમ ઉભરાયો !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?