By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    17 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    2 days ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    3 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    3 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    14 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    17 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    2 days ago
    રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
    2 days ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    7 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ: ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડી ભોળાજનો -હરિભક્તોની આંખ ખોલનારી ફિલ્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > મહારાજ: ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડી ભોળાજનો -હરિભક્તોની આંખ ખોલનારી ફિલ્મ
Bhavy Raval

મહારાજ: ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડી ભોળાજનો -હરિભક્તોની આંખ ખોલનારી ફિલ્મ

Khaskhabar Editor
Last updated: 2024/06/22 at 6:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

ભાટિયા અને વાણિયા જ્ઞાતિના સેવકો મહારાજના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમના ચાવેલાં પાનસોપારી ખાતા, તેમના કુટુંબની ક્ધયાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે બાવાઓને સોંપતા. હજારો અનુયાયીઓ પાસેથી ‘લાગા’ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા. મહારાજ લાયબલ કેસમાં એક સાક્ષીની જુબાની અનુસાર, ‘રાસમંડળી’ તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાના દર્શન કરવા માટે તો ભાવિકોએ મોટી રકમ આપવી પડતી! ધર્મ-સંપ્રદાયના નામે હવેલીના હવસખોર મહારાજો દ્વારા ચાલતા આ તમામ ધતીંગો અદાલતમાં રજૂ થયા અને પુરવાર પણ થયા ત્યારે જઈ મહારાજ લાયબલ કેસમાં ફરિયાદી જદુનાથ મહારાજની હાર થઈ અને આરોપી કરસનદાસ મૂળજીની જીત થઈ. કરસનદાસ મૂળજી (1832-1871) પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા. તેઓ હળાહળ નાસ્તિક નહીં, ઉચ્ચકોટિના આસ્તિક હતા. તેઓ તિલક પણ કરતા ને ટોપી પણ પહેરતા. તેમને સનાતન કે સંપ્રદાયવિરોધી ન ગણાવી શકાય, એ સુધારાવાદી અને સમાજસેવક હતા. શિક્ષક હોવાની સાથે કરસનદાસની એક લેખક-પત્રકાર તરીકેની કારકિર્દીનો ઉલ્લેખ અગાઉ એક લેખમાં કર્યો હોવાથી અહીં તે અંગેનું પુનરાવર્તન ટાળી આગળ વધુ છું.

વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો એટલે મહારાજ લાયબલ કેસ. અને એ અભૂતપૂર્વ મુકદ્દમો પર સૌરભ શાહ દ્વારા લખાયેલી અદભુત નવલકથા અને એ અદભુત નવલકથા પરથી બનેલી અમેઝિંગ મૂવી એટલે મહારાજ. આ ફિલ્મ ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડનારી છે. ફિલ્મમાં ધાર્મિક-સાંપ્રદાયિક ગુરુની દર્શાવવામાં આવેલી પાપલીલા આજેય એટલી જ પ્રસ્તુત છે. ઈનશોર્ટ વર્તમાન સમયમાં પિક્ચરની કથાવસ્તુ પરફેક્ટ છે. એ સમયના વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં મહારાજો દ્વારા તો આજના સમયમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામીઓ દ્વારા.. સંપ્રદાય, રિવાજ, પ્રથા અલગ છતાં તેના નામે થતા પાખંડ અકબંધ છે. કશું બદલાયું નથી. અનિવાર્ય છે, કરસનદાસ જેવા લેખક-પત્રકારોઓની જે વાસ્તવિકતા પ્રદર્શિત કરી પરિવર્તન લાવી શકે. જો વાત ધર્મની જ હોય તો પત્રકારનો ધર્મ છે આયનો બતાવવાનો.. કરશનદાસ મૂળજીએ તેમના સત્યપ્રકાશ સાપ્તાહિકમાં આયનો બતાવવાના ધર્મ પર સૌરભ શાહે મહારાજ નવલકથા મારફતે બખૂબી પ્રકાશ પાડ્યો અને યશરાજ ફિલ્મસના સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈ વિપુલ મહેતાએ આયના પર પડેલા પ્રકાશને પડદા પર બહેતરીન જીલ્યો છે. ભલે ઘટના બહુ જૂની છે, પરંતુ આ ઘટનાને ફરી ઉજાગર કરી કેટલાય ધર્મ-સંપ્રદાયના અબુધ અંધભક્તોમાં જાગૃતતા ફેલાવવાની જરૂર જ હતી. આ આખાય કિસ્સાની કેટલીક એવી અજાણી વાત, જે મહારાજ મૂવીમાં ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવી નથી, તે હવે..

- Advertisement -

મહારાજ લાયબલ કેસમાં વાદી તરીકે જદુનાથ બ્રીજરતનજી મહારાજ હતા, પ્રતિવાદીઓમાં કરસનદાસ મૂળજી તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીના હતા. વાદીના વકીલ તરીકે મી. બેલી તથા મી. સ્કોબલ હતા, પ્રતિવાદીના વકીલ તરીકે મી. આનસ્ટી તથા મી. ડબનાર હતા. આ કેસ બોમ્બે સુપ્રિમ કોર્ટમાં જજ સર મેથ્યુસ સાર તથા જોસેફ આર્નોલ્ડની હજુરમાં શનિવાર તા. 25 જાન્યુઆરી 1862થી મંગળવાર તા. 22 એપ્રિલ 1862 સુધી ચાલ્યો હતો. આ કેસ 40 દિવસ ચાલ્યો, 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. નર્મદ પણ આ કેસમાં જુબાની આપવા આવેલા. કેસમાં જદુનાથ મહારાજ કરસનદાસ મૂળજી સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો હારી ગયા હતા, કરસનદાસ નિર્દોષ સાબિત થયા અને કેસ લડવામાં તેમને જે 13000 રૂપિયાનો ખર્ચ થયો હતો તે બદલ અદાલતે જદુનાથ પાસેથી તેમને 11500 રૂપિયા અપાવ્યા હતા. અંગ્રેજ ન્યાયધિશોની બનેલી બેન્ચ સમક્ષ આ કેસ ચાલ્યો. બંને ન્યાયાધીશોએ જદુનાથ મહારાજની વિરુદ્ધ ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે, કરસનદાસે લખેલી વાતો ખોટી નથી. અને તે લખવાની કરસનદાસની ફરજ છે.

‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિઆ કોન્સ્પિરસી કેસ’ અંગે મુમ્બઈની ‘દી. લખમીદાસ કમ્પની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃત્તિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સમ્પ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરુર હતી. જે સમ્પ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડમ્બર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસમ્બન્ધ (વ્યભિચાર) કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી! 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે, કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી! આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે!

- Advertisement -

મહારાજ લાયબલ કેસ પર આધારિત દસ્તાવેજી તેમજ એવોર્ડ વિજેતા નવલકથા મહારાજ અનેક વાચકો અને ખાસ કરીને ઘણાં સાચાં વૈષ્ણવોને ગમી છે, તેમના સિવાયનાઓ પણ નેટફ્લિક્સ પર આવી ગયેલી ફિલ્મ મહારાજને ખૂબ વખાણશે. નવલકથાની વાત કરવામાં આવે તો છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા, ખૂબ જ સરળ રીતે લખાયેલી છે. અહીં કેટલીક જગ્યાએ લેખકે તે સમયના શબ્દોને ખૂબ સરસ રીતે પ્રયોજ્યા છે, જેમકે તે વખતે ‘અમે’ ની જગ્યાએ ‘હમે’, ‘મુંબઈ’ ની જગ્યાએ ‘મુંબાઈ’, તે ઉપરાંત તે સમયના ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે. અફકોર્સ નવલકથાને ધ્યાનમાં રાખી ફિલ્મ બની હોય ત્યારે એ પણ એટલી જ અસરકારક હોવાની. ફિલ્મમાં દરેક બાબતની જાજીબધી કાળજી લેવામાં આવી હોય એ જોઈ શકાય છે, ખાસ કરીને કોઈની લાગણી ન દુભાઈ તેની. બે કલાકની મહારાજ મૂવી ગાગરમાં સાગર સમાન છે છતાં હજુ ઘણું રહી ગયું, છૂટી ગયું એવું લાગ્યા કરે. અગાઉ આ જ કથાવસ્તુ પરથી નાટક પણ ભજવાયા છે. સત્યઘટના પર આધારિત નવલકથા, નાટક અને ફિલ્મ બાદ ઊંડાણપૂર્વકની તલસ્પર્શી હકીકત રજૂ કરતી વેબસિરીઝ બને તો સારું. એવું જાણમાં આવ્યું છે કે, ઘણાં નવાં વકીલોને કોર્ટની કાર્યવાહી શીખવવા માટે મહારાજ લાયબલ કેસનો ઉપયોગ થાય છે. પત્રકારત્વના વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમમાં એક પ્રકરણ મહારાજ લાયબલ કેસ અને કરસનદાસ મૂળજીનું ભણાવવામાં આવે છે. હવે ધર્મ-સંપ્રદાયના નામે ઢોંગી-ધૂતારા ગુરુ-મહારાજનો ભોગ બનેલા ભોળાજનો-હરિભક્તોને મહારાજ મૂવી બતાવવામાં આવશે.

સદીઓ પૂર્વે કરસનદાસ મૂળજીના સત્યપ્રકાશમાં લખાયેલી એક વેધક વાત સાથે વિરમીએ.. ‘હમો જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃતિમાં લખ્યું છે કે મહારાજને અથવા ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી? પોતાની સ્ત્રી જ નહીં, પણ પોતાની બેટી અથવા દીકરીને બી સોંપવી? અરરર! આ લખતાં હમારી કલમ ચાલતી નથી. હમોને અતીશે કંટાળો અને ધ્રુજારો છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓને આંખમાં ધૂળ છાંટીને ધર્મને નામે અને ધર્મને બહાને તેઓની કાચીકુંવારી વહુ-દીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને વધારે ઠગાઈ કઈ?’

કરસનદાસ મૂળજી

એ સમયના વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં મહારાજો દ્વારા તો આજના સમયમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામીઓ દ્વારા.. સંપ્રદાય, રિવાજ, પ્રથા અલગ છતાં તેના નામે થતા પાખંડ અકબંધ

You Might Also Like

AIના જમાનામાં નવીજૂની ભાષામાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

આપણી ખુશકિસ્મતી વિજયભાઈ આપણને મળ્યાં..આપણી બદકિસ્મતી વિજયભાઈ અચાનક ચાલ્યા ગયા..

જીવનમાં ઝગમગાટનું પ્રતિક દીવડા

સત્યનો સાથ આપી ધૈર્ય રાખો અને સૌનું સન્માન જાળવશો તો જીત નિશ્ચિત

TAGGED: crimes, Haribhaktas, Maharaj
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિરોધ કરશો તો વધુ છાંટા ઉડશે, ચૂપ રહેવામાં ભલીવાર છે
Next Article મરણ મૂડી રૂપે મારે બસ એક તારું હોવું છે બચશે શું મારી સિલકમાં, તારા બાદ થયા પછી..?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AIના જમાનામાં નવીજૂની ભાષામાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Bhavy Raval

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
Bhavy Raval

આપણી ખુશકિસ્મતી વિજયભાઈ આપણને મળ્યાં..આપણી બદકિસ્મતી વિજયભાઈ અચાનક ચાલ્યા ગયા..

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?