ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા સુચના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
નવલી નવરાત્રીના પર્વમાં મોડી રાત અને ઘણી વખત વહેલી પરોઢ સુધી લાઉડ સ્પીકર અને ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલતી હોય છે જે નિયમના વિરૂઘ્ધમાં છે અને તેનાથી ઘ્વનિ પ્રદૂષણ સહિતના પ્રશ્ર્નો થતા હોય છે જેથી સરકારના નોટિફિકેશનને ઘ્યાને રાખી નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાત્રે 1ર વાગ્યા
સુધી જ લાઉડ સ્પીકર કે ડી.જે. વગાડવા મંજૂરી આપવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એનએફ ચૌધરીએ જાહેરનામું પ્રસિઘ્ધિ કર્યુ છે તા.3થી 1ર ઓકટોબર દરમિયાન જૂનાગઢમાં 1ર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વડાવા માટે મંજૂરી આપવામાં આવી છે.
બાર વાગ્યા બાદ લાઉડ સ્પીકર બંધ કરવાનો જાહેરનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં પરંતુ સમય મર્યાદા બાદ કોઇ પણ સોસાયટી, શેરી ગરબા કે, પાર્ટી પ્લોટમાં લાઉડ સ્પકીર, ડી.જે.સાઉન્ડ સિસ્મટ દ્વારા ગરબા રમતા હશે તો તેના વિરૂઘ્ધ બીએનએસ 2023 કલમ 223 અન્વયે કાર્યવાહી કરવા પોલીસને સુચના આપવામાં આવી છે.