માર્ગ અકસ્માતોમાં રોડ માર્કીંગ, સાઇન સહિત ઇજનેરી કામોમાં અંતિમ પ્રમાણપત્ર આપનાર અધિકારીની જવાબદારી ફિક્સ
ખાસ-ખબર સંવાદદાતા
હવે ખરાબ એન્જીનીયરીંગ કામોના કારણે થતી કોઇપણ ઘાતક કે ગંભીર દુર્ઘટના માટે અધિકારી જવાબદાર ઠરશે. એનએચએઆઈ તરફથી જાહેર સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે રોડ માર્કીંગ, રોડ સાઈન, કેશ બેરિયર્સના અંતિમ ઉપચાર જેવા સુરક્ષા કાર્યોને પંચ સૂચિ (વિલંબિત કાર્ય)માં રાખીને પ્રોવિઝનલ સર્ટીફિકેટ (અંતિમ પ્રમાણપત્ર) જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની પાલઘરમાં એક દુર્ઘટનામાં તેમની કાર ડિવાઈડર સાથે ટકરાવાથી તેમનું મૃત્યુ થયું હતું. જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓથોરિટીએ સર્ટીફિકેટ ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓની લાપરવાહી પર ગંભીરતાથી વિચાર કર્યો છે. આ પ્રકારના આંખ આડા કાન કરવાથી જ યાત્રીઓની સુરક્ષા જોખમમાં આવી જાય છે. એનએચએઆઈ તરફથી જાહેર સકર્યુલરમાં કહેવાયું છે કે રોડ માર્કીંગ, રોડ સાઇન, ક્રેશ બેરિયરના અંતિમ ઉપચાર જેવા સુરક્ષા કાર્યોને પંચ સૂચિમાં રાખીને પ્રોવિઝનલ સર્ટીફિકેટ (અંતિમ પ્રમાણપત્ર) જાહેર કરવામાં આવ્યા છે. આથી ઉપયોગ કરનારની સુરક્ષા સાથે સમાધાન થાય છે અને દુર્ઘટના અને મોત થવા પર એનએચએઆઈનું નામ પણ ખરાબ થાય છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કેટલાક માર્ગ અકસ્માતો માટે ખામીયુક્ત પ્રોજેક્ટ રિપોર્ટને જવાબદાર ઠેરવ્યા હતા.