કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદનું રાજીનામું, કોંગ્રેસે ગુલામ નબી આઝાદના રાજીનામા પર નારાજગી વ્યક્ત કરી
કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે આજે દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ દરમ્યાન હવે કોંગ્રેસે ગુલામ નબી આઝાદના રાજીનામા પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે કોંગ્રેસે કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ વિપક્ષનો અવાજ ન બની શક્યા તે દુઃખદ છે.
- Advertisement -
ગુલામ નબી આઝાદના રાજીનામાં બાદ કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં ઘણા હોદ્દા પર હતા. આ સમયે જ્યારે કોંગ્રેસ દેશમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ સામે લડી રહી છે, ત્યારે સંઘર્ષના સમયે ગુલામ નબી આઝાદ આપણને છોડીને જઈ રહ્યા છે.
ગુલામ નબી કોંગ્રેસમાંથી “આઝાદ”
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભાવુક હૃદય સાથે, મેં કોંગ્રેસ સાથે ઘણા વર્ષો જૂના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે. આઝાદે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ને બદલે ‘કોંગ્રેસ જોડો યાત્રા’ કાઢવામાં આવે.
- Advertisement -
Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party pic.twitter.com/RuVvRqGSj5
— ANI (@ANI) August 26, 2022
રાહુલ ગાંધી સામે પણ કર્યા પ્રહારો
ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. આઝાદે લખ્યું છે કે, તેઓ કોઈપણ સ્વાર્થ વગર ઘણા દાયકાઓ સુધી પાર્ટીની સેવામાં લાગેલા છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરી રહી છે, પરંતુ કમનસીબે રાહુલ ગાંધીની પાર્ટીમાં એન્ટ્રી થઈ ત્યારથી તેમણે પાર્ટીમાં વાતચીતની આખી બ્લુપ્રિન્ટને બરબાદ કરી દીધી. તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા.