ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે અગ્નિપથ યોજના લોન્ચ કરી છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. ત્રણેય સેનાઓના પ્રમુખોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાનું અગ્નિપથ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ યુવાનો 4 વર્ષ માટે સેનામાં સામેલ થઈ શકે છે અને દેશની સેવા કરી શકશે. આ યોજના હેઠળ 4 વર્ષ માટે યુવાનો(અગ્નિવીરો)ની સેનામાં ભરતી કરવામાં આવશે. 4 વર્ષના અંતરાલ બાદ જે યુવાનોને સેનાની નોકરીમાંથી મુક્ત કરવામાં આવશે તેમને બીજી જગ્યાએ નોકરી અપાવવા પણ સેના એક સક્રિય ભૂમિકા નિભાવશે. સેનામાં જો કોઈ 4 વર્ષ કામ કરી લેશે તે તેમની પ્રોફાઈલ મજબૂત બની જશે અને દરેક કંપની આવા યુવાનોને હાયર કરવામાં રસ દાખવશે.
ત્રણેય સેનાઓના પ્રમુખોએ વડાપ્રધાન મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન આપ્યું
- Advertisement -
અગ્નિપથ યોજના
યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરાશે
આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષણ વેતન
સેનાની 4 વર્ષની નોકરી બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ અવસર આપવામાં આવશે.
4 વર્ષની નોકરી બાદ સર્વિસ ફંડ પેકેજ મળશે.
ભરતી હેઠળ કરાયેલા મોટા ભાગના જવાનોને 4 વર્ષ બાદ સેવા મુક્ત કરી દેવાશે
17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને તક મળશે.
તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે.