By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    22 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    24 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    21 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    38 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    22 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    24 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!
AuthorKinnar Acharya

ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 3:33 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રના અખબારોની એક અલગ જ મજા છે. અહીંના છાપાંઓની પોતાની આગવી ભાષા છે અને મથાળાની પોતીકી શૈલી છે. ’બકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો ઢગો પકડાયો!’ એવું મથાળું તમને માત્ર અને માત્ર સૌરાષ્ટ્રના અખબારોમાં જ વાંચવા મળે. અહીં થોડી આવી જ રસપ્રદ હેડલાઈનની વાતો હળવી શૈલીમાં પ્રસ્તુત છે.

Contents
– કિન્નર આચાર્ય  કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી: ઠેર-ઠેર પાણી ભરાયાતહેવારો છતાં બજારોમાં નહિવત ઘરાકી: મંદીની અસર દેખાઈપતંગ-દોરાનાં ભાવમાં વીસ ટકા વધારો: ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા જોરાવરસિંહ જાડેજા: ગુનેગારોમાં ફફડાટIPS-IASની ટ્રાન્સફરનો ગંજીપો ચીપાશે: મહત્ત્વના પોસ્ટિંગ માટે જબરી ખેંચતાણભૂ-માફિયાઓની ખેર નથી: ચાર્જ સંભાળતા જ નવા કલેકટરનો ધ્રુજારોહરામખોરે ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યોપતિએ ભેળ ખવડાવવાની ના પાડતા પરણિતા સળગી મરી: અરેરાટી

– કિન્નર આચાર્ય  

કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી: ઠેર-ઠેર પાણી ભરાયા

દર વર્ષે આવું મથાળું તમને વાંચવા ન મળે તો હું મૂછ મૂંડવી નાંખું ! જેમ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે દાંડાઈ એ રૂટિન છે તેમ જી.ઈ.બી. અથવા તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે પણ એવું જ છે. ઉપરની હેડલાઇન તમે જી.ઈ.બી. માટે પણ ફિટ કરી શકો. “જી.ઈ.બી.ની પ્રિ -મોનસુન કામગીરીની પોલ ખુલી: ઝરમર છાંટામાંજ અનેક વિસ્તારોમાં અંધારપટ!” દાયકાઓથી આવા મથાળા આપણે વાંચી રહ્યા છીએ. સવાલ એ છે કે, એવું હેડિંગ ક્યારે વાંચવા મળશે જેમાં લખ્યું હોય કે, ” પાલિકાની અસરકારક પ્રિ – મોનસુન કામગીરીને કારણે ધોધમાર વરસાદમાં પણ પાણી ભરાયા નહિ !” વોહ સુબહ કભી તો આયેગી….

- Advertisement -

તહેવારો છતાં બજારોમાં નહિવત ઘરાકી: મંદીની અસર દેખાઈ

દિવાળી વખતે આવું મથાળું દરેક અખબારમાં વાંચવા મળશે. ખાસ કરીને દિવાળીના ચાર – પાંચ દિવસ પહેલા. પછી બેસતાં વર્ષે અચૂક વધુ એક હેડિંગ છપાય, જેમાં લખ્યું હોય: ” છેલ્લાં ચાર દિવસ દરમિયાન બજારમાં ચિક્કાર ઘરાકી: વેપારીઓ ધરાઈ ગયા!” વાત એમ છે કે, ખરીદીની પેટર્ન હવે બદલાઈ ગઈ છે. નવા કપડાં માત્ર દિવાળીએ જ લેવાય, એવું નથી. બીજું, હવે વિસ્તારવાઈઝ બજારો બની ગઈ છે. ઓનલાઇન ખરીદીનો પણ હિસ્સો હોય છે. આ વાત યા તો વેપારીઓ નથી સમજતાં અથવા તો પત્રકારો નથી જાણતા. નહિતર દર વર્ષે આવું શા માટે છપાય?

પતંગ-દોરાનાં ભાવમાં વીસ ટકા વધારો: ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ

દર વર્ષે ઉત્તરાયણ આવે, એ પહેલા આ સમાચાર અચૂક છપાય. કદાચ ન છપાતાં હોય તો પણ બધાને ખ્યાલ જ હોય છે કે, થોડો ઘણો ભાવવધારો હશે જ. સાથેસાથે અન્ય સંલગ્ન સમાચાર પણ હોય જ. ઉદાહરણ તરીકે, ચીક્કી બજારમાં ધૂમ, શેરડી – જીંજરા લેવા લોકો ઉમટી પડ્યા. એક્ઝેક્ટલી આવા જ સમાચાર તમને દિવાળી વખતે વાંચવા મળશે. “ગયા વર્ષની સરખામણીએ ફટાકડાંના ભાવમાં 25 ટકાનો વધારો” હોળી વખતે છપાશે કે, “પિચકારીના ભાવમાં 20 ટકાનો વધારો” જન્માષ્ટમી વખતે આવશે, “રાજકોટનાં લોકમેળામાં હૈયેહૈયું દળાયું: આઠમને દિવસે ત્રણ લાખ લોકો ઉમટ્યાં” જન્માષ્ટમી પહેલા આવશે કે, “રાઈડ્સના ચોકઠામાં ફરી રિંગ, કલેકટર આકરા પાણીએ!”

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા જોરાવરસિંહ જાડેજા: ગુનેગારોમાં ફફડાટ

જોરાવરસિંહ જાડેજા તો એક કાલ્પનિક પાત્ર માત્ર છે. સવાલ એ છે કે, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે રામજીભાઈ આવે, શામજીભાઈ આવે કે ભીમજીભાઈ આવે … તેમાંથી લોકોને શો ફરક પડે છે! કશો જ નહીં. નવ્વાણું ટકા વાચકો માટે આ સમાચાર શોએબ અખ્તરના બાઉન્સર જેવાં હોય છે. આ સમાચારની આખી ચેઇન છે. પી. આઇ. સાહેબની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થાય ત્યારે તેમણે ઉકેલેલા 11,250,44100 કેઇસો વિશે છપાય, પછી નવા સાહેબનો ઇન્ટરવ્યૂ, તેઓ સિંહાસન પર આસનસ્થ થઈ રહ્યાં હોય એવી તસવીર. હવે ચેઇન પૂરી થઈ.

- Advertisement -

IPS-IASની ટ્રાન્સફરનો ગંજીપો ચીપાશે: મહત્ત્વના પોસ્ટિંગ માટે જબરી ખેંચતાણ

આ સમાચારમાં પણ ભોજિયાભાઈનેય રસ નથી હોતો. મીડિયાકર્મી અને જે તે ખાતાના કર્મચારીઓ સિવાય કોઇને પડી નથી કે કયા સાહેબ કઈ જગ્યાએ બિરાજમાન થવાનાં છે. આમ તો બદલીઓનું લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં અટકળો શરૂ થઇ જાય છે. એક રૂટિન પ્રક્રિયાને આટલું મહત્વ કદાચ આપણાં સિવાય કોઈ નહિ આપતું હોય.

ભૂ-માફિયાઓની ખેર નથી: ચાર્જ સંભાળતા જ નવા કલેકટરનો ધ્રુજારો

આ હેડિંગનો અર્થ એમ સમજવો કે,નવા કલેકટર સાહેબનો ’ભાવ’ ઊંચો છે. રાજકોટને જમીન કૌભાંડોની રાજધાની ગણવામાં આવે છે. અહીં લેન્ડસ્કેમ એ ગૃહઉદ્યોગ અને કુટિરઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે. પરંતુ ભાગ્યે જ કોઈ આઇ.એ.એસ. અધિકારીને ભૂ-માફીયાઓ સામે આકરાં પગલાં લેતા મેં જોયા છે. આવું જ એક હસવા જેવું હેડીંગ છે: “વ્યાજખોરોની ખેર નથી, પોલીસ કમિશનરની ખુલ્લી ચેતવણી!” છેલ્લાં વીસ વર્ષથી વિવિધ પોલીસ કમિશનરો આવી ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે અને આ વર્ષો દરમિયાન વ્યાજખોરી વધતી ગઈ છે.

હરામખોરે ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો

આ એક અદ્ભુત ફરિયાદ છે. આવી ફરિયાદ સૌરાષ્ટ્રમાં લગભગ દરરોજ નોંધાતી હશે. આવી રીતે બળાત્કાર શક્ય જ નથી, એ બધા જાણે છે. પરંતુ ’કાયદો ગધેડો છે’ એ અમેરિકન કહેવત ભારતમાં પણ લાગુ પડે છે. ફરિયાદમાં કહેવાયું હોય છે કે, ” હરામખોરે એ નિર્દોષ પારેવડાં જેવી યુવતીને ફોસલાવીને વીરપુર, ચોટીલા, જૂનાગઢ જેવાં સ્થળોએ લઈ જઈને સતત ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.” આવી જ એક અન્ય ફરિયાદના હેડિંગમાં લખ્યું હશે: “ધાક-ધમકી આપીને ત્રણ વર્ષમાં નરાધમે 384 વખત યુવતીને પીંખી!” આમાં નિર્દોષ બાળા કહેશે કે, નરાધમે ધમકી આપી હતી કે કોઈને વાત કરીશ તો તારા નાના ભાઈને મારી નાંખીશ!

પતિએ ભેળ ખવડાવવાની ના પાડતા પરણિતા સળગી મરી: અરેરાટી

સૌરાષ્ટ્રના અખબારોમાં આવા ચિત્રવિચિત્ર ગણાય એવા અનેક સમાચારો જોવા મળશે. ક્યારેક આવશે કે, ’પતિએ પિકચર દેખાડવાની ના પાડતા મહિલાનું અગ્નિસ્નાન !’ ક્યારેક છપાશે,”મેક – અપ બાબતે માતાએ ઠપકો આપતાં તરૂણીએ ગળાફાંસો ખાધો!” આવા ન્યૂઝ માત્ર સૌરાષ્ટ્રના અખબારોમાં જ વાંચવા મળશે. આમાં બે મુદ્દા છે: (1) સૌરાષ્ટ્રમાં ક્ષુલ્લક કારણોસર આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઊંચું છે.(2)પોલીસમાં આત્મહત્યાનું જે કારણ આપવામાં આવે છે, તેનાં કરતાં ઘણાં ઊંડા તેનાં વાસ્તવિક કારણો હોય છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિરના ભૂમિપૂજનમાં મોરારિબાપુની અવગણના કેમ?
Next Article ડિજિટલ પ્લેટફોર્મ પર! પાકિસ્તાને કરી ઘૂસણખોરી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?