સમારકામના અભાવે બંધ પંખા હોવાથી પેસેન્જર ગરમીથી તળબોળ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં ગત વર્ષો દરમિયાન કરોડોના ખર્ચે નિર્માણ થયેલ એસ.ટી બસ સ્ટેન્ડ હાલત કફોડી નજરે પડે છે. નિર્માણ થયેલ બસ સ્ટેન્ડ માં પેસેન્જર માટે સુવિધાનો અભાવ પણ વર્તાય છે. અહી પંખા તો છે પરંતુ બંધ હાલતમાં છે અને સ્વચ્છતાનો પણ અભાવ વર્તાય છે. અગાઉ પીવાના પાણીની પણ સુવિધા હતી નહિ જોકે હજુય પાણી માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી ત્યારે પંખા બંધ હાલતમાં હોવાથી ગરમીના લીધે પેસેન્જર ઉકળાટના લીધે પરેશાન થાય છે જોકે એસ.ટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ એ.સી ચેમાબરના માફક ફૂલ સ્પીડ પંખો શરૂ રાખી આરામ ફરમાવતા નજરે પડે છે પરંતુ પેસેન્જર ગરમીમાં તળબોળ જોવા મહે છે ત્યારે માત્ર સુવિધા અને સ્વચ્છતાની વાતો થતાં ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે સુવિધાના નામે મીંડુ જીવ મળ્યું હતું.