રીયલ કેટરર્સને જાહેરમાં એંઠવાડ તથા કચરો નાખવા બદલ રૂા.5,000નો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જામનગર રોડ પાસે આવેલી કનૈયા ટી.પોસ્ટ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા હોવાથી નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલ કરવામાં આવ્યો છે. અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા તા. 23ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. કનૈયા ટી.પોસ્ટ સંચાલકોને નોટીસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ રૈયા સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે આવેલ સીસીટીવી કેમેરા તપાસતા રીયલ કેટરર્સ દ્વારા જાહેરમાં એંઠવાડ તથા કચરો નાખતા ઝડપી, તેઓને ગાડી નંબરના આધારે પકડતા વોર્ડ નં. 9ના એસ.એસ.આઈ. દ્વારા રીયલ કેટરર્સને જાહેરમાં એંઠવાડ તથા કચરો નાખવા બદલ રૂા. 5,000/-નો દંડ તેમજ નોટીસ આપવામાં આવી હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં નિવારણ કરવામાં આવ્યુ હતું. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાહેરમાં ગંદકી કરવા બદલ જામનગર રોડ પાસે આવેલી કનૈયા ટી પોસ્ટ સીલ કરાઈ
