By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    5 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    9 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    1 day ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    1 day ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    4 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    4 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    7 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    7 hours ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 day ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    8 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    1 day ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    1 day ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    3 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    3 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છડો બારેમાસ… અષાઢી બીજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > કચ્છડો બારેમાસ… અષાઢી બીજ
Hemadri Acharya Dave

કચ્છડો બારેમાસ… અષાઢી બીજ

Khaskhabar Editor
Last updated: 2025/06/27 at 5:26 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
5 Min Read
SHARE

જાંબાઝ દરિયાખેડુ, દિલાવર દાતારો, સાહસિક વેપારીઓની ભૂમિ કચ્છ… ભગ્ન ખંડિયર સમ થઈ ગયેલા નગરોને ભવ્યતાની કક્ષાએ લઈ જવાની વિકાસની ગાથા એટલે કચ્છ

અષાઢ મહિનો એટલે કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજ, ઉત્તર ભારતના ત્રીજ તહેવારો, દેવશયની એકાદશી, ગૌરી વ્રત કે જયા પાર્વતી, મોળાવ્રત, ગુરુપૂર્ણિમા કે વ્યાસ જયંતી, એવરત-જીવરત… અનેક તહેવારો લઈને આવતા અષાઢ મહિનામાં, અને તેના પછી આવનાર શ્રાવણના આગમનની સુખદ પ્રતિક્ષામાં લોકોમાં ઉત્સાહની લાગણી હિલ્લોળે ચડે છે. એમાંય અષાઢી બીજ તો ત્રણ-ત્રણ લોકોત્સવને લઇને આવે છે. કચ્છીઓનું નવું વર્ષ, જગન્નાથ પુરીની રથયાત્રા અને કર્ણાવતી (અમદાવાદ)ની

- Advertisement -

રથયાત્રા….
કચ્છને સંભારતાં જ રંગબેરગી-ભાતીગળ સંસ્કૃતિ સાથોસાથ શુદ્ધ ઘીની કચ્છી મીઠાઈઓ જેવી જ મધુ નીતરતી, રસ ઝરતી સુકાભઠ્ઠ રણની લીલીછમ્મ કચ્છી પ્રજાનું સ્મરણ થઈ આવે. જાંબાઝ દરિયાખેડુ, દિલાવર દાતારો, સાહસિક વેપારીઓની ભૂમિ કચ્છ… ભગ્ન ખંડિયર સમ થઈ ગયેલા નગરોને ભવ્યતાની કક્ષાએ લઈ જવાની વિકાસની ગાથા એટલે કચ્છ… આધુનિકતાને આવકાર સાથોસાથ પરંપરા, લોકસંસ્કૃતિને આજ પણ પોતાના શ્વાસમાં ધબકતી રાખનાર કચ્છ….
અનેક આગવી વિશેષતા ધરાવતો હોવા છતાં, જ્યાં ગુજરાત અને ગુજરાતીપણાની અસ્મિતા પૂરેપૂરી જળવાયેલી છે એ, જિલ્લો ઍટલે કે ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો અને કચ્છીઓ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવે છે તેની પાછળ એક કરતાં વધુ એટલે કે અનેક રસપ્રદ વાતો છે.

ગુજરાતમાં મૂળરાજના સમકાલીન એવા લાખો ફુલાણી કચ્છના એક સમર્થ પ્રગતિશીલ અને વિચારવંત રાજવી હતા. મહાન દાનેશ્વરી, પ્રજાવત્સલ તેમજ પ્રકૃતિ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને પ્રેમ ધરાવનાર આ રાજવીના માનસમાં અનેકોનેક સર્જનાત્મક અને ચિંતનાત્મક વિચારો આવતા. એકવાર એમને વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? અને તેમના વિચારોને/સવાલોને યોગ્ય સમાધાન આપવા તેઓ સૃષ્ટિભ્રમણ પર ચાલી નીકળ્યા. લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજની’ના નામથી ઓળખે છે. લાંબી શોધખોળને અંતે પણ તેમના મનમાં સતત ઘૂમરાતા આ સવાલનો કોઈ જવાબ પ્રાપ્ત થયો નહીં અને અંતે તેઓ નિરાશ વદને પાછા ફર્યા. તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને અનરાધાર વરસાદના કારણે પ્રકૃતિનું રૂપ ખીલી ઉઠ્યું હતુ. ચોમેર ખીલી ઊઠેલી હરિયાળી અને આહ્લાદક શીતળતામાં તેઓનું મન અતિ પ્રસન્ન થઈ ગયું અને જાણે કે તેમને તેમના સવાલનો તાર્કિક નહિ પણ તાત્વિક જવાબ મળી ગયો કે, જ્યાં મનને રાહત મળે , જ્યાં ચિત્ત પ્રસન્ન થઇ ઊઠે એ જ પૃથ્વીનો છેડો! અને તેમણે પોતાની આ પ્રસન્નતાની ઉજવણી રૂપે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આમ, લગભગ અગયારસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે. અમુક મત મુજબ, જામ રાયધણજીને કચ્છની ગાદી મળી અને ગુરુ ગોરખનાથે તેમને મંત્રદીક્ષા આપી એ દિવસ હતો અષાઢી બીજનો. એટલે ત્યારથી અષાઢીબીજે નવું વર્ષ ઉજવવાની શરુઆત થઈ એવું કહેવાય છે. એક વાત એવી છે કે ભુજની સ્થાપનાનાં સમયથી આષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવાય છે. અન્ય મત મુજબ, પિતાએ કોઈ કારણોસર આપેલો દેશવટો આપ્યા બાદ લાખો ફુલાણી કચ્છ છોડી પાટણ તરફ વસ્યા. આ તરફ તેમના ગયા પછી, કચ્છમાં અભૂતપૂર્વ દુષ્કાળ પડ્યો. સતત હોનારત સર્જાવા લાગી. રાજ પરિવારના વડીલો મૃત્યુ પામ્યાં. વરસાદ તો લાખાની હકાલપટ્ટીથી જેમ કે વરસાદ રિસાઈ ગયો હોય તેમ કચ્છનો રસ્તો જ ભૂલી ગયો. ખેડૂતો બેહાલ થયાં. પશુપાલકો કાઠિયાવાડ તેમજ સિંધમાં ઉતરી ગયાં કચ્છના રાજવી પરિવારના કુંવરો નિસ્તેજ પુરવાર થયાં. લોકોને થયુ કે કચ્છનું ભવિષ્ય લાખોકુમારના હાથમાં જ સુરક્ષિત રહેશે. તેથી તેમણે લાખાને કહેણ મોકલ્યાં. કચ્છના આવા સમાચાર સાંભળી, કચ્છની પ્રજાના કહેણ પર લાખાકુમાર વતનમાં પરત થયાં. લાખાકુમારના આગમન સાથે જ કચ્છની સુક્કીભઠ ધરતી પર અનરાધાર વરસાદ થયાં. ધરતી હરિયાળી થઈ ખીલી ઉઠી. પશુપાલકો પાછા ફર્યા. લાખો કુમાર પરત ફર્યા એ દિવસ કહેવ અષાઢનો પહેલો દિવસ હતો. અને તેના બીજા દિવસે કચ્છની હેતાળ પ્રજાએ, માલધારીઓએ લાખાનો રાજા પદે સ્વીકાર કર્યો. આ ઘટનાના પરિણામ રુપે અષાઢી બીજ ઉજવાય છે. વળી અમુક વિદ્વાનોનું માનવું છે કે, અષાઢ મહિનો બેસતાં જ દરિયાખેડુઓ દરિયો ખેડીને પાછાં આવે છે. તેમના આગમનથી થતાં આનંદ-ઉલ્હાસની ઉજવણી રુપે આ દિવસે નવું વર્ષ ઉજવવાની પરંપરા શરુ થઇ.

કચ્છી પરંપરામાં, જુના સમયમાં આ દિવસે નવા સિક્કા બહાર પાડવામાં આવતાં. રાજાશાહી વખતમાં 562 રજવાડામાંથી ફક્ત 13 રજવાડાઓને સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી એ એમાંના ઍક, કચ્છ રજવાડાની ટંકશાળમાં કચ્છ રાજ્યનું તત્કાલીન ચલણી નાણું છપાતું અને દર અષાઢીબીજે નવા સિક્કા તેમજ નવું પંચાંગ બહાર પાડવામાં આવતાં. ઉપરાંત કચ્છના રાજવી અષાઢી બીજે ભુજનાં હમીરસર તળાવેથી રાજાને સત્તર તોપની સલામી આપવામાં આવતી, શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો જેમાં રાજા માટે યથાશક્તિ ભેટસોગાદો લઈ સૌ નગરજનો આવતાં. આજે તો આ પરંપરા ફક્ત ઇતિહાસના પાને છે. અલબત્ત, કચ્છી માડુઓ વિશે કહેવાય છે કે,
કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ.
જિત હિકળો કચ્છી વસે, ઉત્તે ડિયાણી કચ્છ

- Advertisement -

You Might Also Like

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

જેના કારણે એર ઇન્ડિયાને 400 કરોડ કે તેથી વધુ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

TAGGED: Ashadhi seeds, Kachchhdo Baremas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાલાજી મંદિરે હનુમાનજી મહારાજને જગન્નાથજીની થીમનો દિવ્ય શણગાર
Next Article રાજકોટ મનપાની તિજોરી છલકાઈ: અઢી મહિનામાં 244 કરોડની આવક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

મરાઠી અસ્મિતાની લડાઈ કે વિભાજનનું રાજકારણ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?