ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર ડો.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નર એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર જયેશ પી. વાજાના માર્ગદર્શન હેઠળ મનપા હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે મનપાના પ્રોજેક્ટ ઓફિસર એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝર રાજેશ પરમારના સુપરવિજન હેઠળ ગત રોજ શહેરમાંથી 48 ગૌવંશ પકડવામાં આવ્યા, તેમજ 12 ગૌવંશને સરકારની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા હતા.
જ્યારે આજ દિન સુધીમાં 608 ગૌવંશ પકડવામાં આવેલ છે.તેમજ 560 ગૌવંશને સરકારની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા છે.આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.