અનુષ્ઠાનની સમાપ્તિએ વરૂણ અવતારી ઝુલેલાલજીનું વરુણદેવ રૂપે સમાપ્તિ પ્રસંગે વરસતા જલ જ્યોતિની શુભ સંગમનું ઘટનાથી સિંધી સમાજમાં ધર્મરૂપી વિશ્ર્વાસની અંતર જ્યોત જાગી
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
જામનગર સિંધી સમાજમાં તા.16 જુલાઈથી ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રતની શુભ શરૂઆત ધર્મગુરુ શહેરાવારા સાંઈના સાનિધ્યમાં ધાર્મિક કાર્યો ની સમાગમમાં થઈ હતી જે બાદ 40 દિવસ સુધી સમસ્ત સિંધી સમાજ દ્વારા ઘર ઘર ચાલિયા મહોત્સવ ના અનુષ્ઠાન માં નીતનેમ સાથે રોજ પૂજા અર્ચન તેમજ જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ એસ.એસ. ડબલ્યુ. સાંઈ પરિવાર અને સંત કંવરરામ મંદિર ચાલિયા સાહેબ સમિતિ દ્વારા દરરોજ રાત્રીએ અલગ અલગ પરિવારો માં પુજ્ય ચાલિયા સાહેબ મહોત્સવ અંતર્ગત “હર ઘર ઝુલેલાલ – ઘર ઘર ઝુલેલાલ” ના નામરૂપી સત્સંગ ભજન આરતી પલ્લવ સિંધી છેજ ભક્તિમય આયોજન કરવામાં આવતા જે બાદ આખરી 40માં દીને સંત કંવરરામ મંદિર નાનકપુરી ખાતે સામૂહિક ભહેરાણા સાહેબ નો મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સિંધી સમાજ ભગવાન ઝુલેલાલ ના ચાલિયા મહોત્સવ ની આખરી રાત પર ભક્તિ ના નામ માં જોડાઈ ઇષ્ટદેવ ના નામ માં લીન થયો હતો ત્યારબાદ તા. 25 ઓગસ્ટ શીતળા સાતમના 41 માં દીને સમાપ્તિ અવસરે શમી સાંજે વરસતા વરસાદ માં મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો મળી પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) અને વ્રતની મટકી સાથે પગપાળા યાત્રા સાથે આયોલાલ ઝુલેલાલના નારા સાથે સરઘસ નીકળી આ સરઘસમાં ભકતજનો દ્વારા માથા પર પ્રજ્વલિત પુજ્ય ભહેરાણા સાહેબ અને ચાલીસા વ્રતની મટકી રાખી શહેરના નાનકપુરી સ્થિત સંત કંવરરામ મંદિરથી પ્રારંભ થઈ પવનચક્કી-ઓશવાળ હોસ્પિટલ સર્કલ-સુમેર કલબ રોડ-તળાવની પાળ મુખ્ય શહેરમાર્ગ પર ફરી મિગ કોલોની ખાતે આવેલ તળાવ કાંઠે વાજતે વાજતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સરઘસ યાત્રામાં મસ્તકે રાખેલ પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) ની રોશની થી માર્ગો પર રોશની ઝળહળી ઉઠી હતી.
સમગ્ર સરઘસ યાત્રામાં સૌ ધર્મપ્રેમી જ્ઞાતિજનો દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલજીની આસ્થાએ ઝૂલે તેરા ઝંડા-અમર તેરી જ્યોતનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. અંતે સૌ મળી વિધી વિધાન સાથે તળાવ કાંઠે ભારે વરસાદી માહોલ સર્જાતાં પણ મોટી સંખ્યમાં સિંધી સમાજ ની જન મેદની અડગ મને પોતાના ઇષ્ટદેવ ની ભક્તિમાં જોડાઈ પુજ્ય ભહેરાણા સાહેબની વિધિ કરી આરતી પલ્લવ બાદ ચાલિયા સાહેબ ની મટકી અને પુજ્ય ભહેરાણા સાહેબ ને જલ પરવાન કરી ચાલીસા મહોત્સવ વ્રતના સંકલ્પ છોડી પુન: સાંસારિક જીવનકાળ માં પુન: ફર્યા હતા. આ તકે બહોળી સંખ્યા માં નાના ભૂલકાઓ સહિત વ્રતધારી ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને ચાલીસા વ્રતની શાસ્રોતક વિધિ કરી વ્રતની સમાપ્તિ કરી હતી. પુજ્ય ચાલિયા સાહેબ મહોત્સવ સમાપ્તિ અવસરે વરુણ અવતારી ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જી નું વરુણદેવ રૂપ વરસતા સમાપ્તિ પ્રસંગે વરસતા જલ જ્યોતિ ની શુભ સંગમ નું ઘટનાથી સિંધી સમાજ માં ધર્મરૂપી વિશ્વાસ ની અંતર જ્યોત જાગી હતી લોકો એ જલ – જ્યોતિ ના શુભ સંગમ નો અલૌકિક નજારા થી પ્રફુલ્લિત થયા હતા પવિત્ર ચાલિયા મહોત્સવ ના હાજર પરચો મળ્યાના હોંશે હોંશે ખુશી ના આંસુ છલકાયા હતા.