– રાસાયણીક-જૈવિક તથા કિરણોત્સગી શસ્ત્રો સામે સુરક્ષાના કદમોને આવરી લેવાશે
યુક્રેન પરના રશિયાના પડકારના પગલે વિશ્ર્વમાં અણુયુદ્ધ છેડાવાનો ભય હોવાના સંકેત વચ્ચે ભારત અને અમેરિકાની સંયુક્ત સુરક્ષા કવાયતમાં પ્રથમ વખત અણુ-કેમીકલ અને બાયોલોજીકલ શસ્ત્રો તથા રેડીયોલોજીક (કિરણોત્સર્ગ) શસ્ત્રો સામે સુરક્ષાના કદમોને પણ આવરી લેવામાં આવ્યુ છે. હાલ ચેન્નઈમાં ભારતના નેશનલ સિકયોરીટી ગાર્ડ (એનએસજી) તથા અમેરિકાના સ્પેશ્યલ ઓપરેશન ફોર્સ (એચઓએફ) દ્વારા આ કવાયત હાથ ધરાશે જેનું નામ TARKASH રખાયું છે.
- Advertisement -
આજે દેશો વચ્ચેની આ કવાયત તા.16 જાન્યુએ શરૂ થઈ હતી અને હવે તા.14 ફેબ્રુ.ના રોજ તે સંપન્ન થશે. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં હળવા રાસાયણીક શસ્ત્રોનો ઉપયોગ થયો હોવાના સંકેત છે. ઉપરાંત ભવિષ્યમાં ત્રાસવાદી સંગઠનો પણ જૈવિક અને રાસાયણીક હુમલો કરી શકે છે તે જોતા બન્ને દેશોએ તે પુર્વેની સાવધાની રૂપે આ 1 માસથી વધુ લાંબી કવાયતનું આયોજન કર્યુ છે અને તેમાં ભારતે એનએલજી ને શામ્ય કર્યુ છે.
જે દેશમાં આંતરિક રીતે ત્રાસવાદી હુમલા સામે એક મજબૂત દળ તરીકે ઉપસી આવ્યું છે અને તે ઉપરાંત અમેરિકી દળોના સ્પે.ફોર્સ અને જૈવિક-રાસાયણીક તથા હળવા અણુશસ્ત્રો જે કિરણોત્સર્ગ શસ્ત્રો સામે પણ તાલીમબદ્ધ કરવામાં આવશે. જેનો હેતુ આ પ્રકારના હુમલા સામે લાદવાની આખરી-બચાવ કાર્ય કર્યુ અને ઝડપથી હુમલાખોરોને ખત્મ કરી શકાય અને તે આ શસ્ત્રોના ઉપયોગ ન કરી શકે તે સહિતની કવાયત થઈ હતી.