હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા: બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હજુ સુધી તેમનો સંપર્ક કરી શક્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જો કે સેના તરફથી જાણવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત કેવી છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. જો કે હજુ સુધી અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર સેનાનું અકઇં ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે. જે ચિનાબ નદીમાં પડ્યું છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં બે પાયલોટ સામાન્ય રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.