તાજેતરમાં નવા રચાયેલા સહકારિતા મંત્રાલય અને સર્વપ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત સહકારી અગ્રણીઓ કરી હતી અને સહકારી ક્ષેત્રના ખ્યાતનામ લોગો (પ્રાઉડલી કો-ઓપરેટીવ)ને મનોરમ્ય રીતે દર્શાવતો મોમેન્ટો અમિતભાઇ શાહને આપ્યો હતો, સાથોસાથ ગુલદસ્તો અને શાલ ઓઢડી બહુમાન કર્યું હતું.
દિલ્હી ખાતે અમિતભાઇ શાહ થયેલ આ મુલાકાત દરમિયાન સહકાર જગતની ગઇ કાલ, આજ અને આવતીકાલ વિશે મુક્તમને ગહન ચર્ચા-વિચારણા કરી હતી. અમિતભાઇ શાહે સહુ અગ્રણીઓ પાસે લાગણી વ્યક્ત કરી હતી કે નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં સહકારિતા ક્ષેત્રને સશક્ત કરી તેની સાથે જોડાયેલ કરોડો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પની ભાવના સાથે આપણે કાર્યો કરવાના છે.
- Advertisement -
આ તકે સહકાર ભારતીના પ્રતિનિધિઓ, જ્યોતીન્દ્રભાઇ મહેતા (સંરક્ષક), સતીષજી મરાઠે (પૂર્વ સંરક્ષક), રમેશજી વૈદ્ય (અધ્યક્ષ), ઉદયજી જોષી (મહામંત્રી), સંજય પાચપોર (સંગઠન મંત્રી) અને સુનિલજી ગુપ્તા (દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતા.