રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે છેલ્લા ૧૦ દિવસોમાં ૧૮ હજાર નાગરિકોને રસીકરણ
રાજયના નાગરિકોને કોરોનાના કહરથી બચાવવાના ભાગરૂપે રાજયભરમાં ચાલી રહેલા ‘‘રસીકરણ મહાઅભિયાન’’ અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોમાં કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા ૫૦ હજારને પાર કરી ચુકી છે.
‘‘રસીકરણ મહાઅભિયાન’’ની વિગતો આપતાં જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ધવલ ગોસાઇએ જણાવ્યું હતું કે, ‘‘રસીકરણ મહાઅભિયાન’’ અન્વયે જસદણ તાલુકાના ગામોમાં છેલ્લા ૧૦ દિવસોમાં ૧૮ હજાર નાગરિકોએ રસીનો પહેલો અને બીજો ડોઝ લીધો છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી પારસ વંડાના પ્રયત્નોથી દેવપરા, પોલારપર, હડમતીયા, દહીંસરા, કડુકા, કાળાસર, કોઠી, નાની લખાવાડ, ગઢડિયા, બાખલવડ વગેરે જેવા ગામોના રસીકરણ પ્રત્યે ઉદાસીન નાગરિકોએ પણ સરકારી રસીકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કોરોના વિરોધી રસી લઇને રાજયસરકાર દ્વારા ચલાવાઇ રહેલા ‘‘રસીકરણ મહાઅભિયાન’’ને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
- Advertisement -
જસદણ તાલુકામાં ૪૫ થી વધુ ઉંમરના લોકોમાં રસીકરણનું પ્રમાણ ૬૨ ટકાનું થયું છે, તેમ વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઇએ ઉમેર્યું હતું.