મિલન કોઠારીના નેતૃત્વમાં જૈન વિઝનની ટીમ ખાસ-ખબર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
કોલ્હાપુરના 25 જેટલા કલાકારો દ્વારા હિન્દી ફિલ્મોના દેશભક્તિના ગીતો રજૂ થશે
કાર્યક્રમનું ઉદ્ઘાટન વિજયભાઈ રૂપાણી કરશે : પ્રમુખ સ્થાને મેયર પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
આજે દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્યારે કોલ્હાપુરના 25 જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલો હિન્દી ફિલ્મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ રાજકોટમાં રજૂ થવા જઈ રહ્યો છે. સ્વર નિનાદ દ્વારા રજૂ થનારા જાગો હિન્દુસ્તાની કાર્યક્રમનું આયોજન જાણીતી સેવાભાવી સંસ્થા જૈન વિઝન દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે રાત્રે 9:30 થી હેમુ ગઢવી હોલમાં શરૂ થશે. સ્પેશિયલ લાઈટ ઇફેક્ટ અને એડવાન્સ સાઉન્ડ સિસ્ટમ ના ઉપયોગથી રજૂ થનારો કાર્યક્રમ માણવાલાયક છે.
રાષ્ટ્ર ભક્તિની આહલેકમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલા શુરવીરોની યાદ અપાવતો અને દરેક ભારતીયને જોવો ગમે એવા દેશભક્તિના ગીતોથી ભરપૂર જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાશે.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યાનુસાર આ કાર્યક્રમમાં ઉદ્દઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે ત્યારે પ્રમુખ સ્થાને મેયર ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી ધનસુખભાઇ ભંડેરી ભુપતભાઈ બોદર મનસુખભાઈ ખાચરીયા નીતિનભાઈ ભારદ્વાજ, પુષ્કરભાઈ પટેલ, મનસુખભાઈ રામાણી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા બિહારીભાઇ ગઢવી, નરેશભાઈ લોટીયા, રમેશભાઈ મહેતા જનકભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ કાર્યક્રમના આયોજન માટે જૈન વિઝનને અનેક લોકો તરફથી સહયોગ મળ્યો છે જેમાં જ્યોતીન્દ્રભાઈ મહેતા દામિનીબેન કામદાર નીતિનભાઈ કામદાર જીતુભાઈ ચાવાળા, અનિમેષભાઈ રૂપાણી, દિપકભાઈ પટેલ મિતુલભાઈ વસા, જીતુભાઈ બેનાણી જયેશભાઈ શાહ, ચિરાગભાઈ મહેતા હરેશભાઈ વોરા મેહુલભાઈ રૂપાણી રાજનભાઈ મહેતા અજીતભાઈ જૈન સુનિલ ભાઈ શાહ ચંદ્રકાંતભાઇ શેઠ અનીલભાઈ દેસાઈ પ્રવીણભાઈ કોઠારી વિભાસભાઈ શેઠ જેનીશભાઈ અજમેરા અને હેમલભાઈ મહેતા વગેરેનો સમાવેશ થાય છે.
ભારતની આઝાદીની સુરીલી અમૃત ગાથા સમાન કાર્યક્રમ આઝાદ ભારતના 75 વર્ષની સફર કરાવશે. અત્યાર સુધી માં દેશમાં જાગો હિન્દુસ્તાનીના 3200 જેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં પણ 28 જેટલા શો યોજાયા છે.
આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી જય ખારા ધીરેન ભરવાડા બ્રિજેશ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે