વડાપ્રધાન મોદીએ પોતાના સાથીદારોની પ્રશંસા કરતા ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, છેલ્લા 2 દશકાથી ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો. ચુંટણીમાં સૌથી વધુ લીડ મેળવી સી.આર.પાટીલએ દેશમાં નામ રોશન કર્યુ. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જોડી ઉર્જાવાન છે. મારા સમયકાળમાં હું જે ના કરી શક્યો તે મારા સાથીદારોએ કરી બતાવ્યુ.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ પોતાના સાથીદારોની પ્રશંસા કરતા ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, છેલ્લા 2 દશકાથી ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો. ચુંટણીમાં સૌથી વધુ લીડ મેળવી સી.આર.પાટીલએ દેશમાં નામ રોશન કર્યુ. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જોડી ઉર્જાવાન છે. મારા સમયકાળમાં હું જે ના કરી શક્યો તે મારા સાથીદારોએ કરી બતાવ્યુ.
દક્ષિણ ગુજરાતના નાગરિકોનું જીવન આસાન થશે. ઉનાઇ માતાના મંદીરને પ્રણામ. અમારા સરકાર સમાજના દરેક વર્ગ માટે કામ કરી રહ્યો છે. સભામાં આવતા પહેલા આદિવાસી લોકો સાથે સંવાદ કર્યો. કોઇપણ ગરીબ કે આદિવાસી યોજનાના લાભથી વંચિત ના રહે તે અમારા સરકારની ખાતરી છે. અમારી સરકારે ગરીબ કલ્યાણ પર વધુ મહત્વ આપ્યું છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ પોતાના જૂના સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. જયારે તે ગુજરાતના મુખ્યમંત્રી નહોતા અને ચીખલી અને નવસારી જિલ્લામાં પ્રવાસ કર્યો હતો, ત્યારે આદિવાસી લોકોના મદદરૂપ થવાના સ્વભાવ માટે પ્રશંસા કરી હતી. PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, ‘ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.’
આજે મને ગર્વ થાય છે કે હુ આદિવાસી વિસ્તારમાં 3000 કરોડના કામનું ઉદઘાટન કરુ છું. મને સરકારમાં 22 થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયુ બાતવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય. 2018 માં હુ આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે. આજે તેઓ ખોટા પડ્યા છે. નેવા અને મોભા વચ્ચે 3-4 ફૂટનો ઢાળ હોય છે. આ તો 200 માળનો પહાડ ચઢીને તળિયેથી પાણી ઉંચકીને ટોચ પર લઈ જવાનું. અમે ચૂંટણી માટે નહિ પણ ભલુ કરવા માટે નીકળ્યા છે. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે.
વડાપ્રધાન મોદીએ વિરોધીઓને લીધા આડે હાથ. ચુંટણીના નામે વિકાસ કામો થાય છે, તેવી વાતને નકારી કાઢી. ભૂતકાળમાં મુખ્યમંત્રીના ગામમાં પણ પાણીની વ્યવસ્થા હતી નહીં.
જેનું ભૂમિપુજન અમે કર્યુ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.અહીંના લોકોનુ જીવન પાણીદાર બનાવવુ છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યુ છે. હવે મને નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જોઈએ. ઉમરગામથી આગળમાં આદિવાસી, ઓબીસી સમાજ રહે. અહી પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય છે. નવી પેઢીને સુખ-સુવિધા મળી રહે તેવા કાર્યો કરવા છે. પાકુ મકાન, શૌચાલયની સુવિધા મળી રહે તેવા પ્રયાસો પ્રયાસો કર્યા છે. અગાઉ ઉમરગામથી અંબાજીના પટ્ટામાં એક પણ વિજ્ઞાનની શાળા નથી. અને આજે મેડિકલ યુનિવર્સિટી પણ બની રહી છે.
Gujarat | PM Narendra Modi inaugurates and lays the foundation stone for multiple developments projects in Navsari pic.twitter.com/3spg4FqI61
— ANI (@ANI) June 10, 2022