ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ઈસ્કોનના સૌૈથી વરિષ્ઠ સંન્યાસીઓમાંના એક અને ઈસ્કોન ઈન્ડિયા ગવનિંગ કાઉન્સિલના અધ્યક્ષ, પરમ પૂજય ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું ગઈકાલે દેહરાદૂનમાં હ્વદયની બિમારીઓને કારણે સવારે નિધન થયું છે. 1944માં નવી દિલ્હીમાં જન્મેલા, પરમ પૂજય ગોપાલ કૃષ્ણ ગોસ્વામીએક તેજસ્વી વિદ્યાર્થી હતા જેમને સોરબોન વિશ્વવિદ્યાલય (ફાન્સ) અને મૈકગિલ વિશ્વવિદ્યાલય (કેનેડા)માં અભ્યાસ કરવા માટે બે શિષ્યવૃતિ આપવામાં આવી હતી.
- Advertisement -
તેમને 1968માં કેનેડામાં તેમના ગુરૂ અને ઈસ્કોનના સંસ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદને મળ્યા હતા અને ત્યારથી તેમણે બધાની શાંતિ અને ક્લ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મના ઉપદેશોને વિશ્ર્વ સુધી પોહચાડવા માટે પોતાને સમર્પિત કરી દીધા. ત્યારબાદ આગામી વર્ષોમાં તેમણે ભારત, કેનેડા, કેન્યા, પાકિસ્તાન, સોવિયેત સંઘ અને વિશ્ર્વના અન્ય ભાગોમાં આઉટરીય અને સમુદાય-નિર્માણના પ્રયાસોની દેખરેખ કરી તેમણે સમગ્ર વિશ્વમાં ડઝનબંધ મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણમાં પહેલ કરી હતી. જેમાં નવીદિલ્હીના પ્રખ્યાત ગ્લોરી ઓફ ઈન્ડિયા વૈદિક સાંસ્કૃતિક કેન્દ્રનો સમાવેશ થાય છે. જેનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું.અને પૂણેમાં ઈસ્કોન એનવીસીસીનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના વિશ્ર્વના સૌથી મોટા પ્રકાશક ભકિત વેંદાંત બુક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી.
જે વિશ્વની 70 થી વધુ ભાષાઓમાં ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા પવિત્ર ગ્રંથોના અનુવાદ અને પ્રકાશની દેખરેખ રાખે છે અને આજની તારીખમાં 60 કરોડથી વધુ પુસ્તકો છાપે છે.તેમણે અન્નામૃત ફાઉન્ડેશનની પણ શરૂઆત કરી, જે આજે ભારતભરની 20,000 થી વધુ શાળાઓમાં 12 લાખથી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓને તાજું અને પૌષ્ટિક ભોજન પીરસે છે.