ભારતની કૂટનીતિની જીત, મોદી સરકારની વિદેશ નીતિ રંગ લાવી
તેમાં 25 ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જેમાંથી 17 ભારતીય અને 2 પાકિસ્તાની હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન, તા.10
ઈરાને ઇઝરાયલના કન્ટેનર જહાજ MSC એરીઝમાંથી પાંચ ભારતીયોને મુક્ત કર્યા છે. ગુરુવારે, ઈરાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે પાંચેય ભારત જવા રવાના થઈ ગયા છે. અગાઉ 18 એપ્રિલે મહિલા કેડેટ એન ટેસા જોસેફને મુક્ત કરવામાં આવી હતી. 11 ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ ઈરાનમાં કેદ છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે આ સહયોગ માટે ઈરાનના અધિકારીઓનો આભાર માન્યો છે. ખરેખરમાં ઇઝરાયલ પર હુમલા પહેલા ઈરાને ઓમાનની ખાડીમાં હોર્મુઝ પાસથી ભારત આવી રહેલા પોર્ટુગીઝ ધ્વજવાળા જહાજને જપ્ત કર્યું હતું. આ માહિતી 13 એપ્રિલે આપવામાં આવી હતી.
તેમાં 25 ક્રૂ મેમ્બર્સ હાજર હતા, જેમાંથી 17 ભારતીય અને બે પાકિસ્તાની હતા. આ જહાજ ઇઝરાયલના ઉદ્યોગપતિનું હતું ભારતના વિદેશ મંત્રાલયે જોસેફની મુક્તિ પર કહ્યું હતું કે ભારત સરકાર જહાજ પર હાજર બાકીના 16 ભારતીયોના સંપર્કમાં છે. ક્રૂના તમામ સભ્યો સ્વસ્થ છે અને ભારતમાં તેમના પરિવારના સંપર્કમાં છે. આ લોકોના ઘરે પરત ફરવા માટે ઈરાનના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.ભારતનું વિદેશ મંત્રાલય રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જહાજમાં ફસાયેલા બાકીના ભારતીયોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા 14 એપ્રિલે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે તેમણે આ મામલે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતીય અધિકારીઓને ટૂંક સમયમાં જ ક્રૂમાં સામેલ ભારતીય નાગરિકોને મળવાની મંજૂરી આપવામાં આવશે.