-રિઝર્વ બેન્કે ફરી રેપોરેટ યથાવત રાખ્યા હોવા છતા બેન્કો કર્જ મોંઘુ કરે છે: લાંબાગાળાની અસર વધુ હશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ રેપો રેટ દર યથાવત રાખવા નિર્ણય લીધો છે અને તેની સાથે છેલ્લા બે વર્ષના સમયગાળામાં જે 250 બેઝીક પોઈન્ટ વ્યાજદર વધ્યા છે તેની સામે હોમલોન સહિતના ધિરાણમાં માસીક હપ્તા લોનની અવધીમાં થતા ફેરફારમાં ધિરાણ લેનારની પણ મુશ્કેલી સમજીને તેમને ફલોરીડા રેટ માટેની ફિકસ દરમાં ફેરવવા ઈએમઆઈ- લોન અવધી વિ.માં ફેરફાર કરવા આરટીઆઈએ બેન્કોને સલાહ આપી છે તે સમયે પણ વ્યાજદર વધારાનો સિલસિલો યથાવત છે.
- Advertisement -
દેશની ટોચની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને ખાનગી ક્ષેત્રની બેન્કો એ પણ વ્યાજદર વધાર્યા છે તે પછી હવે વધુ ચાર બેન્કોએ તેના વ્યાજદરમાં 5થી10 બેઝીક પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે જેના કારણે હવે તહેવારોની મોસમમાં બેન્ક ધિરાણ મોંઘા બનશે તથા તેના સમયે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પણ તેમના વ્યાજદર વધારશે જેથી ફરી વ્યાજદર વધારાનું ચકકર ચાલુ થઈ જશે.
બેન્કોના આ પગલાથી ગ્રાહકો પર બોજો વધશે. એક તરફ આરટીઆઈએ એકસટેન્ડેડ લીકવીડીટી પરત લેવા માટે એસએસઆરમાં વધારાની જાહેરાત કરી છે. જેનાથી બેન્કોમાંથી અંદાજે રૂા.1 લાખ કરોડની લીકવીડીટી પરત અપાશે.
જેના કારણે બેન્કોને ધિરાણપાત્ર ભંડોળમાં થોડો ઘટાડો થશે જો કે હાલ રૂા.2000ની ચલણી નોટો જે પરત ખેચાઈ છે તે બેન્કોમાં જમા થવાથી આ લીકવીડીટી વધી હતી અને તેના કારણે બજારમાં ભાવ સપાટી વધી હતી પણ તહેવારોમાં ધિરાણ માંગ વધશે તે સમયે બેન્કો દ્વારા વ્યાજદર વધારાનો સિલસીલો વ્યાપાર ઉદ્યોગની સામે પ્રશ્નો સર્જાશે.
- Advertisement -
જે બેન્કોએ ગઈકાલથી વ્યાજદર વધાર્યા તેમાં કેનેરા બેંકે 5 બેઝીક પોઈન્ટ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે 10 બેઝીક પોઈન્ટ વધતા તેમનો પ્રાઈમ લેન્ડીંગ રેટ (જેના પરથી ધિરાણ દર નિશ્ચિત થાય છે) તે 8.70% થયો છે તો ખાનગી ક્ષેત્રની કરૂર બેન્કે તો 15 બેઝીક પોઈન્ટ વ્યાજદર વધારે છે. બેન્ક ઓફ બરોડાએ પણ 5 બેઝીક પોઈન્ટ આજે વધાર્યુ છે જેની અસર આગામી સમયમાં જોવા મળશે.