ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની મધ્યસ્થીની વાત મોદીએ નકારી
ભારતીય વિદેશ સચિવ મિસ્ત્રીએ કહ્યું કે સીધી લશ્કરી વાટાઘાટો દ્વારા યુદ્ધવિરામ પ્રાપ્ત થયો
- Advertisement -
ટ્રમ્પે ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસોને સમર્થન આપ્યું, મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
જેમાં વડાપ્રધાન કાશ્મીર સહિત પાકિસ્તાન સાથેની સમસ્યામાં અમેરિકામાં કોઈ અન્ય મધ્યસ્થીની જરૂર નહી હોવાનું રોકડું પરખાવી દીધુ છે. ઓપરેશન સિંદુરમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ મે કરાવ્યુ હતુ અને બન્ને દેશો વચ્ચેનો અણુ સંગ્રામ પણ મે રોકયો છે. હું કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે પણ બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છું. તેવા પ્રમુખ ટ્રમ્પના ઓપરેશન સિંદુર બાદ વધેલા દાવામાં વડાપ્રધાન શ્રી મોદીએ હવે સીધી વાત કરી પ્રમુખ ટ્રમ્પની કે કોઈની મધ્યસ્થીની જરૂર જ નહી હોવાનું જણાવી દીધું છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મીસ્ત્રીએ બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચેની વાતચીત બાદ એક વિડીયો શેર કરતા આ માહિતી આપી હતી. શ્રી મોદીએ આતંકવાદ અને ઓપરેશન સિંદુરની પણ વાત કહી હતી. ટ્રમ્પ જી-7 સમીટ અધ્ધવચ્ચેથી છોડી જતા મોદી-ટ્રમ્પની મુલાકાત શકય બની ન હતી. 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ મોદી-ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી અને ટ્રમ્પે આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના દર્શાવી હતી. બાદમાં બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત હતી અને તે અગાઉ ટ્રમ્પે વારંવાર જે દાવા કરતા હતા. ભારતે તેને નકારી કાઢયા છે.
- Advertisement -
હવે વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પને સીધી વાત જણાવી છે. શ્રી મોદીએ કહ્યું કે કાશ્મીર પ્રશ્ને ભારતે કદી કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહી. ઉપરાંત ટ્રેડ-ડીલ જે ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટના તબકકે છે. તે અંગે કોઈ વાતચીત થઈ નથી અને ઓપરેશન સિંદુરમાં પાકની વિનંતી પરથીજ યુદ્ધ હુમલા અટકાવાય છે પણ ઓપરેશન સિંદુર રોકાયુ નથી તે પણ પ્રમુખ ટ્રમ્પને જણાવી દીધુ હતું. ટ્રમ્પે ત્રાસવાદ સામેની લડાઈમાં તે ભારતની સાથે હોવાનો દાવો કર્યો છે કે મોદીએ એ પણ કહ્યું કે પાક સાથે વાત થશે તો પાક કબ્જાના કાશ્મીર અને ત્રાસવાદ મુદે જ થશે.
મોદીને વોશિંગ્ટન આવવા ટ્રમ્પનું આમંત્રણ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યુ છે. મોદી-ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખે બન્ને દેશોના મુદાઓની વ્યાપક ચર્ચા થઈ શકે તે માટે વોશિંગ્ટન આવવા જણાવ્યુ હતું. અગાઉ પણ ટ્રમ્પના અમેરિકી પ્રમુખપદે શપથવિધિ બાદ ટ્રમ્પના આમંત્રણથી મોદી વોશિંગ્ટન ગયા હતા પણ હવે કોઈ તાત્કાલીક પ્રવાસ ગોઠવાય તેવી શકયતા નહીવત છે.