આઇપીએલ મેચ વચ્ચે ક્રિકેટ બોર્ડ BCCIની મોટી જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
હાલ ભારતભરમાં ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. આઈપીએલ 2025 ના મેચો ખૂબ રસપ્રદ બની ગયા છે. ત્યારે આઇપીએલ મેચ વચ્ચે ક્રિકેટ બોર્ડ BCCIએ એક મોટી જાહેરાત કરી છે.આઈપીએલ બાદ તરત જ ભારતીય ખેલાડીઓ રમશે 4 ટેસ્ટ રમશે. BCCI એ વર્ષ 2025માં ભારતીય ટીમની ડોમેસ્ટિક સિઝનની જાહેરાત કરી છે જેમાં ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમવા જઈ રહી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે સાંજે 2025ની ડોમેસ્ટિક સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને ટી-20 મેચ રમાશે. આ સીઝન 2 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે.
ભારતીય ટીમની સિઝનની શરૂઆત ટેસ્ટ સીરીઝથી થશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે જોરદાર ટક્કર આપશે. ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે.
આ પછી ત્રણ વનડે મેચ રમાશે, જે 30 નવેમ્બરે રાંચી, 3 ડિસેમ્બરે રાયપુર અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. તે જ સમયે, પાંચ ઝ20 મેચોની શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં કટક, ન્યૂ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદ મેચોની યજમાની કરશે.