સઉદી અરબસ્તાને નિમંત્રણ આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન-રશિયા યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. શાંતિ માટે કોઈ માર્ગ મળતો નથી. હવે સઉદી અરબસ્તાને યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે અંતર-રાષ્ટ્રીય સ્તરની પરિષદ બોલાવી છે. તેમાં ભારતને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુદ્ધમાં મધ્યસ્થતા કરવા ભારતને સમજાવવામાં આવશે. આ પરિષદમાં 30 દેશોના વરિષ્ટ અધિકારીઓ ભાગ લેવાના છે. જેમાં ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, મેસિકો, ચીલી અને ઝાંબિયા પણ સામેલ છે. 5-6 ઑગસ્ટે આ પરિષદ યોજાવાની છે. યુક્રેન અને પશ્ર્ચિમના દેશોનું કહેવું છે કે આ પરિષદમાં રશિયાને સામેલ ન કરવું જોઈએ.
- Advertisement -
રશિયાનું કહેવું છે કે શાંતિ ત્યારે જ સ્થાપિત થઈ શકે કે યુક્રેને તે વાત સ્વીકારવી જોઈએ કે જે પ્રદેશોમાં લોક-મત સંગ્રહ કરવામાં આવ્યો છે. તે પ્રદેશો રશિયાના છે, તે યુક્રેને સ્વીકારવું જોઈએ. યુક્રેન કહે છે કે પહેલા રશિયા પોતાની સેના યુક્રેનની ધરતી પરથી હટાવી લે તે પછી જ શાંતિ-મંત્રણા સંભવિત છે. જ્યારે રશિયા કહે છે કે યુક્રેને પહેલા શસ્ત્ર-વિરામ કરવો જોઈએ. સઉદી અરબસ્તાનમાં યોજાનારી આ પરિષદમાં તે દેશોને આમંત્રિત કરાયા છે તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ અને યુરોપીય યુનિયને હાજરી આપવાનું વચન આપ્યું છે.