આવતીકાલે મતગણતરી, દેશનો મૂડ નરેન્દ્ર મોદી તરફી, ચાણક્યનો ઍક્ઝિટ પોલ NDA ને 400+ આપી રહ્યો છે…
INDI પર NDAની સરસાઇ હોવાનો વરતારો, કોઇ અદ્ભૂત ચમત્કાર જ પરિણામ પલટાવી શકે, જેની શક્યતા નહિવત્
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશભરમાં સાત ચરણમાં થયેલા મતદાન બાદ હવે આવતીકાલે 4 જુને આવનારા પરિણામ પર સૌની નજર છે. લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ 4 જુન મંગળવારે સવારે આવવાનું શરૂ થઈ જશે. એક તરફ એક્ઝિટ પોલના આંકડા એનડીએને બહુમતી બતાવી રહ્યું છે. તો બીજી તરફ, વિપક્ષી ગઠબંધન INDIA ને 295 થી વધુ બેઠકોનો દાવો કર્યો છે.
28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ 543 લોકસભા વિસ્તારો માટે સાત ચરણનું મતદાન શનિવાર, 1 જુનના રોજ પૂર્ણ થયું હતું અને હવે તમામને દેશના સૌથી મોટા ચૂંટણી પરિણામની આતુરતાથી રાહ છે. ચૂંટણીં પંચે મતગણતરીની પૂરતી તૈયારી કરી લીધી છે. ન માત્ર લોકસભા પરંતું, ઓરિસ્સા અને આધ્રપ્રદેશના વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ મંગળવારે આવશે.
ગુજરાતભરની તમામ બેઠકો પર રિઝલ્ટ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતગણતરી વિશે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ માહિતી આપી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે ગુજરાતમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.
ગુજરાતના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal અને Ballot માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ETPBS પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
- Advertisement -
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે.” વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દાવો કરી રહ્યું છે કે પબ્લિક એક્ઝિટ પોલમાં તેને 295 સીટો મળવા જઈ રહી છે. તાજેતરમાં જ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની બેઠક બાદ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.