ભારતના “ઓપરેશન સિંદૂર” પછી પાકિસ્તાને જે વાયુસેના સ્ટેશનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેમાં આદમપુરનો પણ સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયાના દિવસો બાદ, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી અને સૈનિકો સાથે વાતચીત કરી.
- Advertisement -
ભારતના “ઓપરેશન સિંદૂર” પછી 9 અને 10 મેની રાત્રે પાકિસ્તાને જે વાયુસેના સ્ટેશનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમાં આદમપુરનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે JF-17 ફાઇટર જેટથી છોડવામાં આવેલી તેની હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો, આ આરોપને ભારતીય અધિકારીઓએ નકારી કાઢ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.
ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
ઓપરેશન સિંદૂરની સફળતા
પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ ભારત પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં. ડીજીએમઓએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીનની મિસાઈલ પીએલ-15 અને તુર્કીયેના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય નાના-મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં.
ભારતીય સશસ્ત્ર દળોએ રાતોરાત કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથોના અનેક કેમ્પોનો નાશ કર્યો. જવાબમાં, પાકિસ્તાની સેનાએ ભારતના પશ્ચિમી ભાગો પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા, જેને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા. ત્યારબાદ ભારતે પાકિસ્તાની ક્ષેત્રમાં અંદર પસંદગીના લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા.
ચાર દિવસના તીવ્ર સરહદ પારના ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી, બંને દેશોએ ગયા શનિવારે તાત્કાલિક અસરથી લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર કર્યો હતો.