ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આભાકાર્ડ સમાજ માટે આરોગ્ય એ ખૂબ જ મહત્વનું છે, ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ સુધીની પહોંચ એટલી જ મહત્વની છે. મેડિક્લેમ પોલિસી ગેમ ચેન્જર બની જાય છે, જેથી એ સુનિશ્ચિત થાય છે કે સ્વાસ્થ સેવા સૌને માટે ઉપલબ્ધ બને. આભા હેલ્થ કાર્ડ એક શક્તિશાળી માધ્યમ છે જે સરકારી કાર્યક્રમો તથા વિવિધ પ્રકારની પહેલને કવર કરે છે. તે સ્વાસ્થ સેવા, શિક્ષણ, આર્થિક સહાયતા, મેડિક્લેમ પોલિસી કાર્ડ વગેરેને લગતી સુવિધા સુધીની પહોંચને ઉપલબ્ધ બનાવે છે. આ સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આભાકાર્ડ અને ઙખઉંઢ કાર્ડ ધારકો માટે ગ્રીન કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ગ્રીન કોરીડોરમાં કાર્ડધારકો દર્દીઓને ફીમાં ફાઈલ કાઢી આપવામાં આવશે જે ગ્રીન ફાઈલ તેઓ ઓપીડી કે દવા દવા બારી પર દેખાડશે તો તેમને લાઈનમાં ઉભા રહ્યા વગર પ્રથમ સારવાર અને દવા આપવામાં છે. ઉપરાંત આ ફાઈલ દર્દીઓ ઓનલાઇન એપ્લિકેશન મારફત પણ કઢાવી શકશે. જેથી કાર્ડ ધારક દર્દીને લાઈનમાં ઉભું નહીં રહેવું પડે દર્દી ને જલ્દી થી જલ્દી સારવાર મળી રહે તે હેતુથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (આભા કાર્ડ) હેલ્થ આઇડી શું છે?
- Advertisement -
27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત કરી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે. આ ઈંઉ એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો.
આભા કાર્ડના ફાયદા
જો તમે ABHA હેલ્થ આઇડી કાર્ડની અરજી અને ડાઉનલોડ કરો છો તો તમે નીચેના લાભો મેળવી શકો છો. તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના, પ્રિસ્ક્રિપ્શનો, વગેરે. માત્ર થોડી ક્લિક્સ સાથે ઉપયોગ કરી શકો છો. તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડોક્ટરો વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો. આમ, તમે નવા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો. તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન થનાર છે. તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી (HFR)ને પણ ઉપયોગ કરી શકો છો જે ભારતમાં તમામ ને સરકારી અને ખાનગી તબીબી સુવિધા ની લીસ્ટ ઉપલબ્ધ થનાર છે. આ કાર્ડ આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે. સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો સમાવેશ થાય છે.