રાજકોટ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
શહેરના નાગેશ્વરમાં રહેતા બે ભાઈઓ સહિત 4 શખ્સોની ટોળકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગમાં લક્ઝરી કાર ભાડે રાખી મોટી આવક મેળવવાની લાલચ આપી 27 જેટલા લોકો સાથે રૂ. 3 કરોડની ઠગાઈ આચરી હોવાનો મામલો પોલીસ કમિશનર સમક્ષ પહોંચ્યો છે.જેમાં 27 કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ કરી કાર બારોબાર ગીરવે મૂકી છેતરપિંડી આચરવામાં આવી છે.
- Advertisement -
આ મામલે પોલીસમાં કરેલી અરજી મુજબ, રૈયા રોડ પર જે.કે. પાર્ક નજીક રહેતા વેપારી જાવેદશા ઈસ્માઈલશા શાહમદારે શ્લોક મોહનભાઈ શુકલા, તેના ભાઇ હર્ષીલ શુક્લા તેમજ રેલનગરમાં રહેતા કુણાલ ઉર્ફે દેડકો અને શેઠનગરમાં રહેતા અમિત ત્રિવેદીનું નામ આપ્યું છે.
પોતાની અરજીમાં જણાવ્યા મુજબ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા શ્લોક થોડા સમય પૂર્વે ઓળખાણ થઈ હતી. જેની સાથે કમિશનથી ભાગીદારીમાં શરૂ કર્યો હતો. ધીમે-ધીમે કરતા 50 હજાર, અઢી લાખ, બે લાખ અને એક લાખ મળી મોટી રકમ તેને ધંધાના કામ માટે આપી હતી. આટલું જ નહીં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં એક અર્ટીગા, અને બે ઝઞટ કાર તેમજ તેમના મિત્રો જલાબી ઈમરાન અલીશાની બે, મહમદ અવેશ આરીફભાઈની 3, મહમદહુસેન યુસુફભાઈ સોરઠીયા, ઈકબાલભાઈ આમનભાઈ જાફરાણી, સમદ અબ્દુલ હમીદશેખ, મોહમદ સતારભાઈ ભટી અને મહમદ નદીમ ઈબ્રાહીમભાઈ ચૌહાણની કાર ભાડેથી ચલાવવા આપ્યા બાદ આ તમામ કારને ગીરવે મૂકી છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત જાવેદભાઈએ તેને 50 હજાર, 2.50 લાખ અને ફાઈનાન્સ કંપનીમાંથી 2.50 લાખની લોન કરાવીને રકમ તેને આપી હતી, ત્યારે આ બધી ગાડીઓ ગીરવે મુકાયાની શંકા દર્શાવાઈ છે. તપાસ કરતા તે ગાડી કોઈ અન્ય શખ્સને વેચી દીધાનું જાણવા મળ્યુ હતું.
આટલુ જ નહીં, તેના મિત્ર સર્કલમાંથી શ્લોકને 10થી 15 ગાડી કંપનીમાં કોન્ટ્રાકટથી ચલાવવા આપી હતી, તે ગાડી પણ કોઈને વેચી નંખાયાની શંકા દર્શાવાઈ છે. આ ટોળકીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે ઙૠટઈક, ઇજગક, એરપોર્ટ, રેલવેમાં માસિક ભાડાના કરારથી કાર ભાડે કરવાના નામે કરાર કર્યો હતો. જેમાં અર્ટીગા ટીયુવી, મહેન્દ્ર થાર, સ્કોર્પીયો, ફોચ્ર્યુનર અને સ્વીફ્ટ ડિઝાયર જેવી 27 જેટલી કાર માસિક 40થી 50 હજાર રૂપિયાના ભાડે રાખ્યા બાદ બે મહિના સુધી માસિક ભાડુ આપ્યા બાદ ભાડુ આપવાનું બંધ કરી દીધુ હતું.
- Advertisement -
કાર માલિકોએ તપાસ કરતા તેમની ભાડે આપેલી કાર રાજસ્થાન તેમજ ગુજરાતના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, ધ્રાંગધ્રા, ભાવનગર અને અમદાવાદ પંથકમાં ગીરવે મુકી અને વેંચી નાખી આ ટોળકીએ રોકડી કરી લીધી હતી. જેથી આ મામલે ભોગ બનનાર કાર માલિકો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. જે બાબતે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપી આ મામલે ગુનો નોંધવા આદેશ આપ્યો છે.