ગુનામાં સુપ્રિમ કોર્ટે શીવરાજ ઉર્ફે મુન્નાને છોડ્યા બાદ ગૌતમ નાજકુભાઈ ખુમાણ તથા નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણનો રેગ્યુલર જામીન ઉપર છૂટકારો
ખાસ-ખબર સંવાદદાતા
અમરેલીમાં વર્ષ 2020માં સરકાર દ્વારા એસ.પી. તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક કરવામાં આવેલ અને તેના દ્વારા અમરેલીના માથાભારે શખ્સો તથા હિસ્ટ્રીશીટર તેમજ અનેક ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ શીવરાજ રામકુભાઈ વિછીંયા, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણ વગેરે લોકો સામે ગુજસીટોકના કાયદા હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવેલ. જેમાં તમામ આરોપીઓના ગુન્હાઓ દર્શાવવામાં આવેલ અને જેમાં નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવેલ અને તેમને રિમાન્ડ આપવામાં આવેલ ત્યારબાદ સુરક્ષાના કારણોસર તેમને અલગ-અલગ જેલમાં મોકલવામાં આવેલ હતા.
- Advertisement -
આ ગુન્હામાં બિલ્ડરો, જમીન મકાનના ધંધાર્થી તથા અન્ય લોકોને આરોપી દર્શાવેલ હતા અને તેમની સામે ઓર્ગેનાઈઝ્ડ સિન્ડીકેટ રચીને અમરેલી તથા આજુબાજુના વિસ્તારમાં ધાક-ધમકી આપી મોટી મિલ્કતો પચાવી પાડવી, ખંડણી ઉઘરાવવી તથા ખૂની હુમલાો કરાવવા સહિતના આક્ષેપો કરવામાં આવેલ હતા અને મોટી રકમ ગુન્હાઓ આચરીને એકબીજાની મદદગારી કરીને મેળવેલ હતી તે બાબત દર્શાવેલ અને ગુન્હો નોંધવામાં આવેલ હતો અને સમગ્ર અમરેલી પંથકના રાજકારણમાં આ ગુન્હો નોંધાતા હલચલ મચી ગયેલ હતી. સદરહુ ગુજસીટોકના કાયદાની અમુક જોગવાઈઓ માનવ અધિકારોના હનન સમાન હોય અન્ય કેસના આરોપીઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સદરહુ કાયદાની જોગવાઈઓને પણ પડકારવામાં આવેલ હતી અને આ કામમાં સરકાર દ્વારા સ્પેશ્યલ કોર્ટમાં સ્પેશ્યલ સરકારી વકીલની પણ નિમણુંક કરવામાં આવેલી હતી.
સદરહુ કામમાં ચાર્જશીટ નામદાર અદાલતમાં રજૂ થઈ જતાં આરોપીઓ તરફે નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી, જે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ગુજસીટોક જેવા ગંભીર ગુન્હો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુન્હાઓ નોંધાયેલ હોય તેમ માનીને રદ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીઓ તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી. જે જામીન અરજીમાં આરોપીઓ તરફે એ મતલબની રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના કેસમાં મુખ્ય ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીંછીયાને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવેલ છે તેમજ તેઓની ઉપર 10 ગુન્હાઓ નોંધાયેલ હતા જ્યારે હાલના આરોપીઓ ઉપર 6 તથા 4 ગુન્હાઓ નોંધાયેલ છે તેમજ તે તમામ ગુન્હાઓ ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાંના છે, તેમજ આરોપીઓ છેલ્લ્લી અઢી વર્ષથી જેલમાં છે. આ બધી બાબતો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ગૌતમ નાજકુભાઈ ખુમાણ તથા નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા અરજ કરેલી હતી.
જે તમામ બાબતો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે મુખ્ય આરોપી શીવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઈ વીંછીયાને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરેલ હોય તેમજ હાલના આરોપીઓ છેલ્લાં અઢી વર્ષથી જેલમાં હોય અને સક્રિય ગેંગ લીડરને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારે હાલના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ તેમ માની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાજકુભાઈ ખુમાણને રૂા. 10,000ના શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતની એડવોકેટની ટીમ રોકાયેલ હતી.