ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના સંજયભાઈ છગનભાઈ વાઘેલા (ફરિયાદી) અને નિમુબેન મનસુખભાઈ વાઘેલા (આરોપી) સગા સંબંધી હોય સંબંધની રૂએ આરોપીને ધંધા અર્થે પૈસાની જરૂરિયાત હોય જેથી આરોપીએ ફરિયાદી વચ્ચે વકીલ મારફત પ્રોમિસરી નોટ કરવામાં આવેલી અને રકમ રૂા. 7,00,000 પૂરાની માગણી કરેલી, આથી ફરિયાદીએ આરોપીને રોકડા ચૂકવી આપેલી જે રકમ ચૂકવેલી તે સંબંધની રૂએ ધંધાના વિકાસ માટે કુલ રકમ અમો ફરિયાદીને સમય જતાં પરત ચૂકવી આપવાની હતી અને તે બાબતનું આરોપીએ ફરિયાદીને પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી હતી અને રૂા. 7,00,000ની પ્રોમિસરી નોટ એમ કુલ બે ચેક 3,50,000ના આપેલા હતા. સદરહુ મુદત પૂર્ણ થતાં ફરિયાદીએ આરોપી પાસે પોતાની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત ચૂકવી આપવા આરોપીને જણાવતા આરોપીએ ફરિયાદીને પોતાની કાયદેસરની લેણી રકમ ચૂકવવા આરોપીએ તેમના ખાતાવાળી બેંકના ચેકો ફરિયાદીના નામના એક ફરિયાદીની રૂબરૂમાં સહી કરી ફરિયાદીને ચેકો આપેલા અને ચેક આપી આરોપીએ ફરિયાદીને ચેક બેન્કમાં રજૂ કર્યે તુરંત વટાવાઈ જશે અને અમો ફરિયાદીને પોતાની કાયદેસરની કુલ લેણી રકમ રૂા. 7,00,000 પુરાની રકમ મળી જશે તેવું પાકુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી હતી, જે 3,50,000ના 2 ચેકો એટલે કે રૂા. 7,00,000 પૂરા રિટર્ન થતાં ફરિયાદી સંજયભાઈ છગનભાઈ વાઘેલાએ વકીલ મારફત આરોપીને નોટીસ આપેલી અને આરોપી દ્વારા નોટીસનો કોઈ જ યોગ્ય જવાબ કે ચેક મુજબની રકમ ચૂકવવા દરકાર કરેલી નહીં, જેથી ફરિયાદીએ વકીલ મારફત રાજકોટની નામ. અદાલતમાં બે ફરિયાદ દાખલ કરેલી હતી.
- Advertisement -
જેમાં ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતો અને વડી અદાલતના ચૂકાદાઓને ધ્યાને લઈ રાજકોટના મહે. 12માં એડી. ચીફ જ્યુડી. મેજિ. વાય. બી. ગામીતએ આરોપીના આ ગંભીર ગુના સબબ આરોપી નિમુબેન મનસુખભાઈ વાઘેલાના બંને અલગ અલગ કેસમાં 1-1 વર્ષની સાદી કેદ તથા ફરિયાદીને ચેક મુજબની કુલ રકમ એક માસમાં ચૂકવવું, જો વળતર ન ચૂકવે તો વધુ 6 માસની જેલની સજા ફટકારતા ચોમેર સન્નાટો મચી જવા પામેલ હતો. વાતચીત દરમિયાન ફરિયાદીએ ચૂકાદાને ન્યાયિક તેમજ ખૂબ જ મહત્ત્વનો ગણાવેલો તેમજ તેમ પણ જણાવેલ કે ચૂકાદાથી ચેકની રકમ પચાવી પાડવાનો ઈરાદો ધરાવતાં તત્ત્વોને કાયદાનું ભાન થશે. આ કામે ફરિયાદી વતી વકીલ તરીકે રાજકોટના રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ રાઠોડ તથા મદદનીશમાં અભય ચાવડા તથા વિશાલ રોજાસરા રોકાયેલા હતા.