રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવનના ધ્યેય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમા ભાગ લે તે માટે સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ખુશનુમાં ઠંડીની વચ્ચે 75૦૦થી વધુ સુરતીલાલાઓ ઉત્સાહભેર આ સાયકલ રેલીમાં જોડાયાં હતા.
- Advertisement -
શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતનાંઆંગણેથીસાયકલોથોનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતુ.શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહપ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટનાં વડાપ્રધાનનાં નારાને ઝીલી લઈને રાજયનાં પ્રજાજનોનાં સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી.કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રિકોસન ડોઝની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો/કોમોર્બિલીટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોસન ડોઝ આપવાં માટે રાજય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.સુરતના વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી ૨.૫ કિ.મી. લાંબા નવનિર્મિત જોગીગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી. આ ટ્રેક વાહન પાર્કિગ સહિત રમતગમત માટે શહેરીજનોને ઉપયોગી પુરવાર થશે.
સાયકલ ચાલનથકી બિનચેપી રોગથી મુકિતની થીમ પર સાયકલોથોનની થીમ પર શહેરના ભગવાન મહાવીર કોલેજ ખાતે 1૦ અને ૩૦ કિ.મી.ના રૂટ પર યોજાયેલી સાયકલોથોનમાં વિવિધ સાયકલ ગ્રુપો, પોલીસ જવાનો, મહાનગર પાલિકાના કર્મયોગીઓ, હજારો સાયકલ સવારોએ ઉત્સાહભેર જોડાયા હતા.આ પ્રસંગે ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ફીટ ઈન્ડિયા ફિટમાં સુરતમહાનગરપાલિકા વિસ્તારમાં 60 કિ.મી.નો સાયકલ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આવી ઈવેન્ટ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલી સાયકલોથોનમાં 7500થી વધુ શહેરીજનોએ નામાંકન નોંધાવી ભાગ લીધો હતો. આ વેળાએ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો, સાયકલિસ્ટોએ ફિટનેસ જાળવણીનાં શપથ લીધાં હતાં.
રીપોટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત