ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિવમ્ ગૃપ દ્વારા પુર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ. પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે સતત 18માં વર્ષે ઉનાળાના બે માસ માટે 250 પરિવાર માટે વિનામુલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદઘાટ્ન શહેરના જાણીતા ઉદ્યોગપતિર મેશભાઈ પટેલ (પટેલ બ્રાસ વર્કસ) તેમજ દિપ પ્રાગટ્યશંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથાનારણભાઈ પટેલ (ઈન્ડીયા બ્રાસ)ના હસ્તે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પરમાર પરિવારના મોભી ઓ મોબતસિંહ પરમાર, રમેશભાઈ પરમાર, નરેન્દ્રસિંહ પરમાર, ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહેલ હતા.
આ આયોજનને સફળ બનાવવામાં શિવમ્ ગૃપના કુલદીપસિંહ પરમાર, વિપુલ પટેલ, ધવલ જોષી, અતુલ કારીયા, સંજય ધીણોજા, કમલ લિંબડ, જયેશ ઉદેશી, ગિરીરાજસિંહ જાડેજા, પંકજ પરમાર, વિશાલ ભિમાણી, ઉદયભાઈ પરમાર, ચેતન શુકલા, રાજુ જાષી, પરાગ પરમાર સહિત અન્ય લોકો જહેમત ઉઠાવેલ છે.