પરિક્રમા પૂર્ણતાના આરે ભાવિકોએ વતન વાટ પકડી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણતા ના આરે આ વર્ષે 12 લાખ થી વધુ ભાવિકો એ પરિક્રમા કરી વિધિવત રીતે આવતી કાલે પરિક્રમા પૂર્ણ થાય છે પણ એક દિવસ અગાઉ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરીને ભાવિકોએ વતન ની વાટ પકડી પરિક્રમા પૂર્ણ કરીને ગિરનાર પર્વત પર આવેલ માં અંબા અને દત્ત ભગવાન ના દર્શન કર્યા હતા ગિરનાર પર્વત પર સતત ત્રણ દિવસ થી લાખોની સંખ્યા માં ભાવિકોની ભીડ જોવા મળી રોપ વે અને સીડી પર ભાવિકોની ભીડ જોવા મળી હતી તેની સાથે પરિક્રમા પૂર્ણ બાદ ઉપલા દતાર ના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યા માં જોવા મળ્યા હતા લાખોની સંખ્યા માં પરિક્રમા પૂર્ણ કરીને ભાવિકો સતાધાર ,પરબ ધામ સોમનાથ સહીત ના ધર્મ સ્થાનો દર્શન કર્યા હતા ત્યારે આજ સાંજ સુધીમાં પરિક્રમા નો અંતિમ પડાવ બોરદેવી જગ્યા માં પાખી હાજરી જોવા મળશે ઉતારા મંડળ અને અન્નક્ષેત્ર ના સંચાલકો એ પોતાનો સર સામાન સાથે અન્નક્ષેત્રો બંધ કર્યા હેમખેમ વિના વિઘ્ને પરિક્રમા પૂર્ણ થતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હાશકારો અનુભવ્યો હતો 12 લાખની જન મેદની નું સુંદર આયોજન કરવા માં આવ્યું હતું.