ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી વોકળા દબાણ અને બાંધકામમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે અનેક ફરીયાદો ઉઠી છે અને મુખ્યમંત્રી એ પણ જેની નોંધ લીધી હતી અને તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હજુ સુધી કોઈ નક્કર પરિણામ નહિ આવતા જૂનાગઢ આમ આદમી પાર્ટી ના પ્રમુખ તુષાર સોજીત્રા દ્વારા આજથી ટ્વિટર ઝુંબેશ શરુ કરી છે. તળાવ દરવાજા પાસે શહીદ સ્મારક ખાતે નો પોસ્ટકાર્ડ ઝુંબેશ, ના સહી ઝુંબેશ સાથે ટ્વિટર ઝુંબેશ શરુ કરી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને ગેરકાયદેસર બાંધકામ બાબતે વાસ્તવિક હકીકત પોહચાડવા માટે ટ્વિટર ઝુંબેશ શરુ કરી એક છાવણી નાખીને નગરજનોને ટ્વિટર મારફત ટવીટને મુખ્યમંત્રી સુધી જૂનાગઢમાં થતા બાંધકામ મુદ્દે લડત શરુ કરી છે.
જૂનાગઢમાં APP દ્વારા શહેરમાં થતા બાંધકામ ભ્રષ્ટાચાર મુદ્દે ટ્વિટર ઝુંબેશ શરૂ
