વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે જામનગર આવેલા પીએમ મોદીએ પોતાની સરકારના વખાણ કર્યાં હતા.
10માં પરથી 5મા પાંચમા સ્થાને પહોંચ્યું ભારત
જામનગરમાં લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે 2014માં હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે ભારત ઈકોનોમીમાં 10મા સ્થાને હતું જે પછી હવે પાંચમા સ્થાને પહોંચ્યું છે.
- Advertisement -
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે ભારત 63મા ક્રમે
પીએમ મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે પણ એક મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે 2014માં ભારત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે વિશ્વમાં 162મા સ્થાને હતું પરંતુ હવે તનતોડ મહેનત બાદ ભારત હવે 63મા ક્રમે આવ્યું છે.
"When I became the Prime Minister in the year 2014, India was at the 10th rank in the economy and now we have reached the fifth rank," said Prime Minister Narendra Modi in Jamnagar, Gujarat earlier this evening pic.twitter.com/o73mNv7JDb
— ANI (@ANI) October 10, 2022
- Advertisement -
એક વ્યક્તિ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન લાવી શક્યા- પીએમ મોદીનું નેહરુ પર નિશાન
પીએમ મોદીએ નામ લીધા વગર પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રજવાડાઓના વિલીનીકરણના મુદ્દાઓનો ઉકેલ લાવી દીધો, પરંતુ “એક વ્યક્તિ” કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શક્યા નહોતા.મોદીએ કહ્યું કે તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલના પગલે ચાલી રહ્યા હોવાથી લાંબા સમયથી અટકેલા કાશ્મીર મુદ્દાને ઉકેલવા સક્ષમ છે.
શહેરી નક્સલવાદીઓએ સરદાર પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કર્યો
પીએમ મોદીએ નામ લીધા વગર કેજરીવાલની આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે શહેરી નક્સલવાદીઓએ સરદાર પટેલના સરદાર સરોવર ડેમના સ્વપ્ન પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબે બધા રજવાડાઓને ભારતમાં ભળી જવા સમજાવ્યા. હું સરદાર સાહેબના પગલે ચાલી રહ્યો છું ત્યારે સરદારની ધરતીના મૂલ્યો મારામાં છે અને એટલે જ મેં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવીને સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.