જયસુખ પટેલને બચાવવા ગંદુ ‘પેઈડ કેમ્પેઈન’ પૂરજોશમાં!
જયસુખના ચમચાઓનું ‘વ્હોટ્સએપ્પ’માં ‘બૉયકોટ ‘ખાસ-ખબર’ કેમ્પેઈન!: ‘ખાસ-ખબર’નો બૉયકોટ તો કરશો, સત્યનો બૉયકોટ કેવી રીતે કરશે?
- Advertisement -
પુલનું ઉદ્ઘાટન કરવા આખો પરિવાર ઉપસ્થિત રહ્યો, ધૂમ પબ્લિસિટી મેળવી… તો પૂલ તૂટ્યો ત્યારે કેમ જયસુખ પટેલ સહિત એકપણ સભ્ય હાજર ન રહ્યો?
ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના મોરબી ઝૂલતા પુલ હોનારતમાં135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ આ દુર્ઘટના પાછળ જવાબદાર છે એવી ઓરેવા કંપનીનો માલિક જયસુખ પટેલ ફરાર થઈ ગયો હતો, ત્રણ મહિના બાદ કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરાયા બાદ તે હાજર થયો છે. હવે જ્યારે જયસુખ પટેલ જેલમાં છે ત્યારે તેના સમર્થનમાં એક ‘ઈં જીાાજ્ઞિિં જયસુખભાઈ પટેલ’ કેમ્પેઈન શરૂ થયું હતું. જયસુખ પટેલને બચાવવા માટેના આ બનાવટી કેમ્પેઈનનો ’ખાસ-ખબર’એ પર્દાફાશ કર્યો હતો એટલે હવે તેની સોશિયલ મીડિયા ટીમ દ્વારા વિવિધ ઈમેજ બનાવી કાયદો મોટો કે મીડિયા? એવો પ્રશ્ન ઉઠાવતી કેટલીક ઈમેજ ફરતી કરવામાં આવી છે એટલું જ નહીં, ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવાની પણ તદ્દન બાલિશ વાતો જયસુખ પટેલના ચમચાઓ કરી રહ્યા છે.
- Advertisement -
જયસુખ પટેલના પેઈડ પ્રચારકો અને પંખાઓ પણ એ હકીકત જાણે છે કે, જો જયસુખ પટેલ દૂધે ધોયેલો હોતો તો તે મોરબી ઝૂલતા દુર્ઘટના બાદ ભાગી ન જતો. જયસુખ પટેલ પુલનું ઓપનિંગ સપરિવાર કરવા પહોંચી ગયો હતો તો પુલ તૂટ્યો ત્યારે કેમ ન પહોંચ્યો? અને સપરિવાર ભાગી ગયો? રહી વાત કાયદો મોટો કે મીડિયા? તો ન્યાયતંત્રની જેમ જ પત્રકારત્વ પણ એક જાગીર છે. કોર્ટના આદેશથી જયસુખ પટેલ પર ગુનો દાખલ કરાયો છે, ભાગેડુ જયસુખને પકડીને હાજર થવા કોર્ટે હુકમ કર્યો એટલે એ હાજર થયો છે. ‘ખાસ-ખબર’ કે અન્ય એકપણ મીડિયાએ કોઈ ચુકાદો આપ્યો નથી. માત્ર જયસુખ પટેલના કારનામાઓનો ચિતાર આપ્યો છે. જયસુખ પટેલના ચમચાઓ જ જયસુખની જય બોલાવી તે નિર્દોષ છે તેવો ચુકાદો આપી રહ્યા છે. જો જયસુખ પટેલની કરમકુંડળી તપાસીએ તો તે પ્યોર પ્રોફેશનલ બિઝનેસમેન છે. સમાજસેવાનો તેનો કે તેના પરિવારનો ક્યારેય કોઈ ઉદ્દેશ રહ્યો જ નથી. તેના કુટુંબીઓ ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જયસુખને સમર્થન કરનારા લોકો અને સંસ્થાઓ પણ માત્ર વ્યક્તિગત હિત જ ધ્યાનમાં લઈ તેને ટેકો આપી રહી છે. જયસુખ પટેલને તેમના સમાજના લોકો ભામાશા તરીકે ચીતરી રહ્યા છે પણ જે 135 ઘર-પરિવારના લોકો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા છે તેના માટે જયસુખ પટેલ ભામાશા નહીં, માત્રને માત્ર યમરાજ સાબિત થયો છે. કાયદો કાયદાનું કામ કરશે એટલે જયસુખ પટેલ માટે કોઈ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તેને બચાવી કે છોડાવી નહીં શકે.
‘સત્ય’ની જેમ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર શક્ય નથી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ વિશે ‘ખાસ-ખબર’ તબક્કાવાર સચોટ અહેવાલ પ્રકાશિત કરતું આવ્યું છે. ‘ખાસ-ખબર’ના અહેવાલોથી જયસુખ પટેલ અને તેમના જમરૂખોના પેટમાં તેલ રેડાયું હોય તેઓ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવો જોઈએ એવી બડાશો વોટ્સએપ ગ્રુપમાં મારી રહ્યા છે. પણ ‘સત્ય’ની જેમ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવો શક્ય નથી. ‘ખાસ-ખબર’ જયસુખ પટેલ જેવા સાપરાધ મનુષ્યવધના ગુનેગારો માટે કોઈપણ ભોગે પીછેહઠ નહીં કરે, ભલે તેનો બહિષ્કાર થાય, ‘ખાસ-ખબર’નું વાંચન ક્યારેય ઓછું નહીં થાય, તેનો ફેલાવો વધશે જ. તેથી જયસુખ પટેલ અને તેના સ્વાર્થી સમર્થકોએ જાણવું-સમજવું જરૂરી છે કે, મીડિયાનું મો બંધ કરાવવાની જગ્યાએ 135 મૃતકોના પીડિત પરિવારને સહાય કેમ કરી શકાય તેના પર થોડું મંથન – મહેનત કરશે તો તેમના પાપ ઓછા થઈ જશે.