મેં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે
- Advertisement -
આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવાઓને ઉત્તમ બનાવવામાં મદદરૂપ થશે, સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાઈ જાય ત્યારે સેવા કરવાની શક્તિ વધી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, મેં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે તમારે નીચું જોવું પડે.
આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ,6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે.રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી. 2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. અને ડોકટર માટે માંડ 1100 બેઠક હતી.ત્યારે આજે ગુજરાતમાં સરકાર અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો મળી 30 કોલેજો એકલા ગુજરાતમાં છે. એટલું જ નહી દેશના દરેક જિલ્લામાં બનાવવાની ઈચ્છા છે. એક સમય પહેલા માત્ર 1100 બેઠકો હતી. ત્યારે અત્યારે 8000 થી વધુ બેઠકો છે.
When people's efforts connects with Govt's efforts, our strength to serve increases. This modern hospital (KDP Multispeciality Hospital) in Rajkot is a major example for this: Prime Minister Narendra Modi at a public function at Atkot, Rajkot in Gujarat pic.twitter.com/SX0tKRfBXe
- Advertisement -
— ANI (@ANI) May 28, 2022
વડાપ્રધાનના સંબોધનના અંશો
– આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે.
– રાજકોટમાં બનેલી આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી.
– 8 વર્ષ પહેલા તમે મને વિદાય આપી પરંતુ તમારો પ્રેમ વધતો જાય છે.
– તમારી આપેલી શિક્ષા અને સંસ્કારથી 8 વર્ષથી દેશ સેવા કરી રહ્યો છું.
– કોરોના કાળમાં દરેક ભારતીયોને વિનામૂલ્યે વેક્સિન આપવાનું લક્ષ્ય હતું.
– વડા પ્રધાન મોદીએ કહ્યું કે, નવનિર્મિત માટુશ્રી કેડીપી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો. જનતા જોડાઈ તો સેવાની શક્તિ વધી જાય છે.
– હવે લોકોને અત્યાધુનિક સારવાર અહીં જ મળશે.
કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ 2014 પહેલા ગુજરાતના પ્રોજેક્ટને મંજુરી મળતી નહોતી, કારણકે તેમને પ્રોજેક્ટ કે વિકાસ નહીં, મોદી જ દેખાતા હતા.નર્મદા બંધના પ્રોજેક્ટ માટે ઉપવાસ કરવા પડયા હતા.
MSMSEથી ગુજરાતના ઉદ્યોગને ઘણો ફાયદો થયો
ગુજરાતમાં એર કનેક્ટિવીટી વધી છે. ભાવનગર ઘોઘા દહેજ વચ્ચે રો-રો ફેરીથી ઘણો ફાયદો થયો છે. મોરબીના ટાઇલ્સ ઉદ્યોગે વિશ્વમાં ડેકો વગાડ્યો છે. MSMSEથી ગુજરાતના ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે.
આયુષ્યમાન કાર્ડનો લાભ 50 લાખ લોકોએ લીધો છે. મોટામાં મોટા ઓપરેશનનો ખર્ચ સરકાર ઉઠાવે છે. માતા- બહેનોને ખાસ કાર્ડથી લાભ થયો. ગરીબોને સારવાર માટે દેવું નથી કરવું પડતું. મધ્યમ વર્ગના માનવી માટે દેશના ખૂણે-ખૂણે ઔષધિ કેન્દ્રો છે.