ઝેરી દવા પી આપઘાત કરી લીધો: ખેતરમાંથી મૃતદેહ મળ્યો
ખાસ ખબરસંવાદદાતા
બે દિવસ પહેલા ખડિયા ગામનાં અને તોરણીયાની સીમમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો.જેમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. આ ઘટના બાદ ગઇકાલે ખેતરમાંથી પતિનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા બાદ પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં ખડિયા ગામનાં અને તોરણીયા ગામનાં પાટીયા પાસે સીમમાં રહેતા રામદેભાઇ ઢોલા અને તેના પત્ની લીલીબેન વચ્ચે બે દિવસ પહેલા ઝગડો થયો હતો.
જોકે બન્ને વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતો હતો. ઘર કંકાસમાં બે દિવસ પહેલા રામદેભાઇએ પોતાની પત્ની લીલીબેનની હત્યા કરી નાખી હતી. બાદ પોતે ઘરમાં તાળું મારી ફરાર થઇ ગયા હતાં. પોલીસને તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ગઇકાલે ખડિયાની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ રામદેભાઇનો હોવાનું બહાર આવ્યું હતું. તેનાં મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. બે દિવસ પહેલા પત્નીની હત્યા કરી પતિએ પણ આપઘાત કરી લીધો હતો. પતિ અને પત્ની બન્નેનાં મોત થતા બે જોડિયા બાળકો નિરાધાર બન્યાં છે.