By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રતન ટાટાની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રતન ટાટાની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે
રાષ્ટ્રીય

રતન ટાટાની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે

Khaskhabar Editor
Last updated: 2024/10/10 at 1:40 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

રતન ટાટાના નશ્વર દેહને ટાવર ઓફ સાયલન્સમાં મૂકવામાં આવશે કે પછી ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર ? જાણો શું છે આ ટાવર ઓફ સાયલન્સ ?

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના અંતિમ સંસ્કાર પારસી વિધિ મુજબ કરવામાં આવશે. વાસ્તવમાં પારસી લોકોના રિવાજો હિંદુઓના અગ્નિસંસ્કારના રિવાજો અને મુસ્લિમોના દફન રિવાજોથી ખૂબ જ અલગ છે. પારસી લોકો માને છે કે, માનવ શરીર કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે, આવી સ્થિતિમાં મૃત્યુ પછી તેને પ્રકૃતિમાં પાછું આપવું પડે છે. સમગ્ર વિશ્વમાં પારસીઓ આવી જ રીતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. વિગતો મુજબ મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં રાખવામાં આવે છે.

- Advertisement -

શું છે આ ટાવર ઓફ સાયલન્સ ?

ટાવર ઓફ સાયલન્સ એક એવી જગ્યા છે જ્યાં પારસી લોકો મૃત્યુ પામ્યા પછી તેમના પ્રિયજનોના મૃતદેહને પ્રકૃતિના ખોળામાં છોડી દે છે. આ પ્રથા પારસી સમુદાયમાં પ્રાચીન સમયથી ચાલી આવે છે. તેને દખ્મા પણ કહે છે. પારસી સમુદાયના લોકોના મૃતદેહોને ‘ટાવર ઓફ સાયલન્સ’ પર મૂકવાની પરંપરા છે જ્યાં ગીધ આ મૃતદેહો ખાય છે. આને ‘આકાશ દફન’ પણ કહેવાય છે. જોકે નવી પેઢીના પારસીઓ હવે આવા અંતિમ સંસ્કાર પર વધુ ભાર આપતા નથી. પારસીઓએ બનાવેલા ઇલેક્ટ્રિકસ્મશાનગૃહમાં રતન ટાટાના અંતિમ સંસ્કાર પણ કરી શકાય છે.

શા માટે પારસીઓ મૃતદેહોને બાળતા નથી કે દાટી શકતા નથી?

- Advertisement -

પારસીઓ મૃતદેહને બાળવા-દાટવા કે ફેંકવાને બદલે ગીધને ખાવા માટે ટાવર ઓફ સાયલન્સમાં છોડી દે છે. જ્યારે ગીધ મૃતદેહોનું માંસ ખાઈ જાય ત્યારે બાકીના હાડકાંને ખાડામાં નાખીને દાટી દેવામાં આવે છે. અંતિમ સંસ્કારની આ પરંપરાને દોખ્મેનાશિની અથવા દખ્મા કહેવામાં આવે છે. પારસી ધર્મમાં મૃતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકૃતિને પ્રદૂષિત માનવામાં આવે છે. પારસી ધર્મમાં પૃથ્વી, પાણી અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આથી આ ત્રણેયને મૃતદેહો સોંપવામાં આવતા નથી.

શું છે આ અરંધ ?

પારસી સમુદાયમાં, મૃત્યુ પછી પણ કોઈપણ જીવના કામમાં આવે તે પુણ્ય માનવામાં આવે છે. પારસી લોકો માને છે કે,. સ્મશાન અને જમીનમાં દફન કરવાથી પૃથ્વીના ત્રણ મૂળભૂત તત્વો – માટી, પાણી અને અગ્નિ પ્રદૂષિત થાય છે. પારસી સમુદાયમાં મૃત શરીરને અપવિત્ર માનવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને રાખ્યા બાદ ચાર દિવસ સુધી મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે જેને અરંધ કહેવામાં આવે છે.

તો શું હવે આ કારણે અંતિમ સંસ્કારમાં ફેરફાર ?

ગીધની ઘટતી જતી વસ્તીને કારણે પારસી સમુદાયે પણ મૃતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિઓ બદલવી પડી છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા પછી પારસીઓ દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર જહાંગીર પંડોલના મૃતદેહને દક્ષિણ મુંબઈના ડુંગરવાડીના ‘ટાવર ઓફ સાયલન્સ’માં મુકવામાં આવ્યો હતો કારણ કે તેના પરિવારે અંતિમ સંસ્કાર માટે પરંપરાગત રીત-રિવાજોને પ્રાધાન્ય આપ્યું હતું. 2015 થી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે.

ગીધની વસ્તી 4 કરોડથી ઘટીને 19 હજાર થઈ

એક રિપોર્ટ અનુસાર 1980ના દાયકામાં દેશમાં ગીધની વસ્તી 4 કરોડ હતી જે 2017 સુધીમાં ઘટીને માત્ર 19,000 રહી ગઈ. આ કારણે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. સરકારે રાષ્ટ્રીય ગીધ સંરક્ષણ કાર્ય યોજના 2020-25 દ્વારા ગીધની વસ્તીમાં થતા ઘટાડાને રોકવા માટે એક પહેલ શરૂ કરી છે, જેમાં થોડી સફળતા મળી છે. ગીધની વસ્તીમાં ઘટાડો થવાનું કારણ બળતરા વિરોધી દવા ‘ડાઇક્લોફેનાક’ના ઉપયોગને આભારી છે જે સારવાર દરમિયાન પશુઓને ખવડાવવામાં આવે છે. આવા ઢોરોના મૃત્યુ પછી જ્યારે ગીધ તેમને ખાઈ ગયા ત્યારે તેઓ પણ મરવા લાગ્યા જેના કારણે ગીધની વસ્તીને અસર થઈ. આ દવા 2006માં પ્રતિબંધિત કરવામાં આવી હતી. ગીધ અમુક કલાકોમાં શરીરમાંથી માંસ સાફ કરે છે, જ્યારે કાગડા અને ગરુડ બહુ ઓછું માંસ ખાઈ શકતા હોય છે, જેના કારણે ઘણા મૃતદેહોને સડતા મહિનાઓ લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે.

ઈરાનમાં દમનથી ભાગીને ભારત આવ્યા હતા પારસીઓ

પારસી સમુદાયના લોકોની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં માત્ર 57,264 પારસી હતા. સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે ‘જિયો પારસી’ પહેલ શરૂ કરવા સહિત સમુદાયની વસ્તીમાં થતા ઘટાડાને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. અંતિમ સંસ્કારની આ પરંપરા પારસી ધર્મમાં લગભગ 3 હજાર વર્ષથી ચાલી આવે છે. પારસી લોકો ઈરાનમાં વિકસ્યા હતા, પરંતુ 1000 વર્ષ પહેલા ઈરાનમાં થયેલા અત્યાચારને કારણે તેઓ ભારતના પશ્ચિમ કિનારા તરફ ભાગી ગયા હતા. ત્યાં તેઓ ગુજરાત અને મુંબઈ જેવા વિસ્તારોમાં સ્થાયી થયા. તેને એક જ્યોત મળી જે દક્ષિણ ગુજરાતના ઉદવાડા ખાતેના અગ્નિ મંદિરમાં હજુ પણ બળતી હોવાનું કહેવાય છે.

પારસી કોણ છે-તેઓ શું માને છે?

પારસીઓ મૂળ ઈરાનના પર્સિયન ઝોરોસ્ટ્રિયનોના વંશજ છે અને તેઓ મુસ્લિમો દ્વારા ધાર્મિક જુલમથી બચવા ભારતમાં આવ્યા હતા. તે સમયે ઈરાનમાં તલવારોના જોરે ઝડપી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. પારસી શબ્દ ફારસી ભાષામાંથી લેવામાં આવ્યો છે. પારસી ધર્મને જરથુસ્ત્ર ધર્મ પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના પ્રબોધક જરથુસ્ત્ર દ્વારા કરવામાં આવી હતી. જરથુસ્ત્રએ શીખવ્યું કે માત્ર એક જ ભગવાન છે અહુરા મઝદા. અહુરા એટલે ભગવાન અને મઝદા એટલે જ્ઞાની. પારસી ધર્મ એ વિશ્વના સૌથી જૂના એકેશ્વરવાદી ધર્મોમાંનો એક છે. પારસીઓ ભારત અને પાકિસ્તાનમાં વંશીય લઘુમતી છે. ભારતમાં પારસીઓની વસ્તી લગભગ 60,000 છે. પારસીઓ મુખ્યત્વે મુંબઈ અને મુંબઈની ઉત્તરે આવેલા કેટલાક નગરો અને ગામડાઓમાં રહે છે. કરાચી (પાકિસ્તાન) અને બેંગલુરુ (કર્ણાટક)માં પણ પારસી લોકો રહે છે. પારસી ધર્મના અનુયાયીઓ અહુરા મઝદાને સર્વોચ્ચ દેવતા માને છે. પારસી ધર્મના અનુયાયીઓ યજતા તરીકે ઓળખાતા ઓછા દેવતાઓમાં પણ માને છે.

ત્રણ હજાર વર્ષ જૂની પરંપરા

પારસી સમુદાયની આ અંતિમ સંસ્કારની પરંપરા આશેર 3 હજાર વર્ષ જૂની છે. જેમાં પાર્થિવ દેહને દખ્મા અર્થાત ટાવર ઓફ સાયલન્સ પર શુધ્ધ કર્યા બાદ છોડી દેવામાં આવે છે. જ્યાં સમડી-ગીધ જેવા માંસાહારી પક્ષીઓ શબને ખાઈ જાય છે. ટાવર ઓફ સાયલન્સ એ પારસીઓનું કબરસ્તાન છે. રતન નવલ ટાટાનો પાર્થિવ દેહ ગુરૂવારે સવારે 10.30 વાગ્યે તેમના નિવાસ સ્થાને એનસીપીએ લોન, નરીમન પોઈન્ટ લાવામાં આવ્યો હતો. જ્યાં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. 3.30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકાશે.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: Dokhmenashi, Parsi Funeral, Ratan Tata, Ratan Tata Funeral
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિઝબુલ્લાહ પર ઈઝરાયલ કહેર બની તૂટી પડ્યું: ટોચના 11 કમાન્ડર ઠાર કર્યા
Next Article રતન ટાટાએ જાયન્ટ કંપનીની જોબ ઓફર ઠુકરાવી હતી, જાણો કઈ રીતે ટાટા ગ્રુપમાં સફરની શરૂઆત થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?