મસાલા બનાવનારી કંપનીઓ પાસેથી સેમ્પલ લેવાયા
એમડીએચ અને એવરેસ્ટ જેવી મોટી કંપનીઓના મસાલા હોંગકોંગ અને સિંગાપોરે રિજેકટ કરતા ભારતે લીધા પગલાં
- Advertisement -
સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી દીધી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ કંપનીઓની ચાર પ્રોડકટસમાં એથિલીન ઓકસાઈડ હોવાને લઈને સવાલો ઉઠયા બાદ મસાલા બનાવનારી કંપનીઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેથી ભારતીય મસાલાના બારામાં ઉઠેલી ચિંતાઓ દુર કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, સિંગાપોર અને હોંગકોંગે કથીત રીતે કિટનાશક એથિલીન ઓકસાઈડની માત્રા નિશ્ચિત ધોરણથી વધુ હોવાનો હવાલો આપીને એમડીએચ અને એવરેસ્ટની ચાર પ્રોડકટ્સને બજારમાંથી હટાવી લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં પણ ઉત્પાદનો પર દેખરેખ વધારવામાં આવી. એમડીએચ અને એવરેસ્ટનું કહેવું છે કે તેમના ઉત્પાદનોની કવોલિટી ઠીક છે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે, વિવાદ ઉઠયા બાદ હોંગકોંગ અને સિંગાપોર નિકાસ કરવામાં આવતા મસાલાની તપાસ અનિવાર્ય કરવા જેવા પગલા ઉઠાવવામાં આવ્યા.
તેમણે જણાવ્યું હતું કે બધા નિકાસકારો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે કે તેઓ જે દેશોમાં નિકાસ કરે છે ત્યાં એથિલીન ઓકસાઈડના બારામાં જે પણ ધોરણો છે તેના હિસાબે પૂરી તપાસ માલ મોકલતા પહેલા કરાવી લે.
- Advertisement -
શાખનો મામલો, કડકાઈ જરૂરી
નાણાકીય વર્ષ 2024માં 1.4 કરોડ ટન મસાલાની નિકાસ કરનાર ભારત માટે આ મહત્વનો મામલો છે. સિંગાપોર અને હોંગકોંગે ભલે બાનના બદલે રિકોલનો આદેશ આવ્યો પણ આથી ભારતીય મસાલા પર ગંભીર સવાલ ઉભા થયા છે. કંપનીઓ જરૂરી તપાસ કરે અને સ્પાઈસેજ બોર્ડ તેમને સર્ટીફિકેટ આપવાની પ્રક્રિયા પણ કડક કરે કારણ કે આ શાખનો મામલો છે.