કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહએ 90માં ઇન્ટપોલ મહાસભાના સમાપન સત્રને સંબોધિત કર્યુ, જેમાં તેમણે અનુભવો અને તકોના આધાર પર ઇન્ટરપોલને આવતા 50 વર્ષની યોજનાને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. જેમાં તેમણે 164 દેશોની સાથે આંતરરાષ્ટ્રીય ગુનાઓથી લડવા માટેના ઉપાયો પર વ્યાપક ચર્ચા કરી.
ગૃહમંત્રી અમિતશાહએ વધુમાં જણાવ્યું કે, આજના જમાનાના ગુનાઓ અને ગુનેગારોને રોકવા છે, તો આપણે કન્વેશ્નલ જિયો- ગ્રાફિક બોર્ડરથી આગળ વધીને વિચારવું જોશે. આપણે બધા દેશોએ ટેરિરઝમ અને ટેરરિસ્ટની વ્યાખ્યા પર સહમતિ દર્શાવવી પડશે.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ટરપોલની 100 વર્ષની યાત્રામાં પોતાની યોગ્યતા સાબિત કરી છે. ભારત ઇન્ટરપોલના સૌથી જુના સભ્યોમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય સહમતિ તેમજ બહુપક્ષવાદ માટે પોતાની ભૂમિકાને માન્યતા આપે છે. ભારત સરકારની તરફથી હું સુરક્ષા, વિશ્વ શાંતિ, અને સ્થિરતા જાળવવા માટે ઇન્ટરપોલના પ્રયત્નોની પ્રશેસા કરૂ છું.
8 વર્ષોમાં પોલીસ દળએ ભારત સરકારને આપી મજબૂતી
છેલ્લા 8 વર્ષોમાં ભારત સરકારને પોલીસ દળોને મજબૂત કરવા માટે કેટલાય પગલાં લીધા છે. રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયને સરકાર દ્વારા કરવામાં આવેલી બીજી પહેલોની વચ્ચે ઇ-કોર્ટ, ઇ-ફોરેન્સિક જેવા ગુનાઓને ન્યાય આપવા માટે તંત્રમાં સુધારો કર્યો છે.
સાઇબર ક્રાઇમ પર નજર રાખવા માટે ભારતીય સાઇબર ગુના સમન્વય કેન્દ્રની સ્થાપના
સાઇબર ક્રાઇમ પર નજર રાખવા માટે ભારતીય સાઇબર ગુના સમન્વય કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી. ડેટા અને સુચના ક્રાંતિએ ગુનાઓને સીમાચિન્હ બનાવી દિધા. નવા ટેકનોલોજીના આધાર પર કામ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુના સિન્ડિકેટથી લડવા માટે બીજા દેશો પણ તેમની સાથે લડવા માટે એકસાથ થવાની જરૂર છે.
- Advertisement -
ઇન્ટરપોલ આગામી 50 વર્ષ માટે યોજના તૈયાર કરે
બોર્ડ પર આતંકવાદ સાથે લડવા માટે સહયોગ સ્થાપવો મહત્વપૂર્ણ છે. બધા દેશોની આતંકવાદ વિરોધી એજન્સિઓની પાસે એક વાસ્તવિક સમય સૂચના શેરિંગ કરવાનું તંત્ર હોવું જોઇએ. નાર્કો- આતંકની પણ વધતા પડકારો છે, જેની સામે લડવા માટે બધા દેશોએ એકસાથ થવાની જરૂર છે. જયારે ઇન્ટરપોલએ પોતના 100 વર્ષના અનુભવોનો ઉપયોગ કરતા આગામી 50 વર્ષ માટે બધા પ્રકારના આંતરરાષ્ટ્રીય અપરાધોથી લડવા માટેની એક યોજના તૈયાર કરવી જોઇએ.