By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    2 hours ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    21 hours ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    23 hours ago
    નાસા કર્મચારીઓની છટણી: ટ્રમ્પ વહીવટીતંત્ર 10 પ્રાદેશિક કેન્દ્રોમાં 2,000થી વધુ કર્મચારીઓને છટણી કરશે
    1 day ago
    World Population Day 2025: ભારતમાં કેટલા ટકા શિક્ષિત લોકો છે ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી
    5 minutes ago
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    1 hour ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    1 hour ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    2 hours ago
    નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    21 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    1 day ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    1 day ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    53 minutes ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    21 hours ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ
AuthorHemadri Acharya Dave

ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ

Khaskhabar Editor
Last updated: 2022/11/22 at 4:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

 

ટેલિવિઝનનો ઇતિહાસ
સ્કોટિશ એન્જિનિયર, જ્હોન લોગી બાયર્ડે વર્ષ 1926માં ટેલિવિઝનની શોધ કરી પણ તેને વધુ વ્યવહારુ બનાવ્યું ફિલો ફર્ન્સવર્થે કે જેણે 1927માંવિશ્વનું પ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું, જે 01 સપ્ટેમ્બર 1928ના રોજ પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. કલર ટેલિવિઝનની શોધ પણ જ્હોન લોગી બેર્ડ દ્વારા વર્ષ 1928માં કરવામાં આવી હતી. જ્યારે સાર્વજનિક પ્રસારણ 1940થી શરૂ થયું હતુ.

- Advertisement -

વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ

દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવતાં વિશ્વ ટેલિવિઝન દિવસનો હેતુ ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. તેની શોધ થઈ એ બાદ ક્રમશ: શિક્ષણ અને મનોરંજનના સૌથી મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જગ્યા બનાવતું રહેલું
ટેલિવિઝન એક એવું સામૂહિક માધ્યમ છે કે જ્યાં ઑડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન દ્વારા મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજકારણ, ફિલ્મી ગોસિપ, વગેરેની માહિતી એક જ જગ્યાએ મળી રહે છે. વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ જોઈએ તો નવેમ્બર 1996 માં, યુનાઇટેડ નેશન્સ (યુએન) એ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું. જેમાં અગ્રણી મીડિયા હસ્તીઓ ફોરમનો હિસ્સો બની હતી. અને તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. તેથી જનરલ એસેમ્બલીએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી આ દિવસ વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવાય છે.

ભારતનો ટેલિવિઝન ઇતિહાસ

- Advertisement -

ટેલિવિઝનની શોધના ત્રણ દાયકા પછી ટીવી ભારતમાં આવ્યું હતું. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના સહયોગથી નવી દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959ના રોજ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ટીવીની શરૂઆત ’ઓલ ઈન્ડિયા રેડિયો’ હેઠળ કરવામાં આવી હતી અને ટીવીનું પ્રથમ ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાં બનાવવામાં આવ્યું હતું, જે પાંચમા માળે હતું. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

ભારતમાં ટીવીના શરૂઆતના દિવસોમાં, સામુદાયિક સ્વાસ્થ્ય, ટ્રાફિક, રસ્તાના નિયમો, ફરજો અને નાગરિકોના અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા.1972 સુધીમાં અમૃતસર અને મુંબઈ માટે ટેલિવિઝન સેવાઓ શરૂ થઈ. જ્યારે 1975 સુધી ભારતના માત્ર સાત શહેરોમાં ટેલિવિઝન સેવા શરૂ કરવામાં આવી હતી.ભારતમાં વર્ષ 1982 માં રંગીન ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થયું.

લોકભોગ્ય અને અતિલોકપ્રિય ટેલિવિઝન શો

એંશીના દાયકાના અંતમાં, ટેલિવિઝને કારણે ભારતમાં નવી હવા ફેલાઈ. દુરદર્શન પરથી પ્રસારિત થતી સત્વવાળી સિરિયલ્સ ધીમે ધીમે એટલી લોકપ્રિય થવા લાગી એના કારણે જેના ઘરે ટીવી સેટ હોય એના ઘરે અડોશપડોસનાં લોકો એકઠા થઈને ટીવી જોવાનો નવો ટ્રેન્ડ લગભગ દોઢેક દાયકો ચાલ્યો. લોકો અનેક આઇકોનિક શો જોવા માટે એક જ સ્ક્રીનની સામે એકઠા થતા હતા.

કેબલ ટીવીની શરૂઆત પહેલાં દૂરદર્શનની સિરિયલોએ ટીવી પર રાજ કર્યું. દૂરદર્શનની જૂની સિરિયલો દરેક ઉંમરના લોકોનું મનોરંજન કરતી હતી. આજે ટીવી પર જોવાની ચેનલો ઘણી વધી ગઈ છે, પણ આપણે કેટલી ચેનલો જોઈએ છીએ કે કેટલી વાર જોઈએ છે? એ વિચારતાં દૂરદર્શનના સોનેરી દિવસો યાદ આવી જાય છે કે જ્યારે મનોરંજન, જ્ઞાન, સમાચાર, સંસ્કૃતિ-ઈતિહાસ વગેરે તમામ જરૂરી વિષયો પર રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતાં હતાં. સાહિત્યિક ટચ અને સત્વ તત્વથી ભરપુર, દિગ્દર્શન સ્ટોરી રેલીંગ તેમજ ઉત્કૃષ્ટ અભિનયના ઉત્તમ નમૂનાઓ જેવી દૂરદર્શનની સિરિયલ્સનું મનોરંજનનું સ્તર એટલું ઊંચું અને નિર્દોષ રહેતું કે આજની લગભગ એક પણ ટીવી સિરિયલ તેની બરાબરી કરી શકે એવી નથી લાગતી.

દુરદર્શનનાં શો ચિત્રહાર, શોથીમ, કરમચંદ, બ્યોમકેશ બક્ષી, હમલોગ, બુનિયાદ, ઈન્તઝાર, કથાસાગર, શ્રીકાંત, પ્રેમચંદ કી કહાનિયા, ચંદ્રકાંતા, વિશ્વામિત્ર, રામાયણ, જંગલબુક, મહાભારત, યે જો હૈ જિંદગી, ભારત એક ખોજ, ચાણક્ય, ટીપુ સુલતાન, અકબર ધ ગ્રેટ, ધ ગ્રેટ મરાઠા, મૃગનયની, સુરભી, મુંગેરિલાલ કે હસીન સપને, અપરાજિતા, ઈતિહાસ, કશીશ, ફર્ઝ, માલગુડ્ડી ડેઝ,ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, નુકકડ, દાને અનાર કે,કહકશા, મુજરિમ હાજિર હો,રજની, ઈસી બહાને,.. મિર્ઝા ગાલિબ, તમસ, અંતાક્ષરી, વક્ત કી રફતાર, શાંતિ, સિદ્ધાર્થ બાસુનું ક્વિઝ ટાઇમ, સ્વાભિમાન, ફરમાન, ઔરત, અંજુમન….અહાહા… એક એક સિરિયલ યાદગાર.. સાહિત્યિક સ્પર્શવાળી, માનવીયમુલ્યોથી ભરપૂર….

આપણે છાશવારે દુરદર્શનની સિરિયલ્સ વિશે વાત કરીએ છીએ પરંતુ એ વખતના ન્યૂઝ રીડરનો બહુ ઓછો ઉલ્લેખ થાય છે.

ભારતિય ડિજિટલ ન્યુઝ મીડિયાની કાલ અને આજ

આજકાલ ભારતીય ન્યૂઝ ચેનલો બૂમબરાડા, નાટકીય લ્હેકા, સમાચાર તત્વને દૂષિત કરીને ફિલ્મી આઈટમ કે સિક્વન્સની જેમ રજૂ કરવાની બાલીશ નાટ્યાત્મકતા સાથે પત્રકારત્વનો હાંસ કરીને પત્રકારો ખુદ હાંસિપાત્ર બન્યા છે. ન્યૂઝ એન્કર્સ જાણે પોતે ન્યાયાધીશ હોય એમ દરેક કેસમાં પોતાના ઇન્વેસ્ટિગેશન્સ(!)અને પોતાના મનઘડંત ચુકાદા આપતા થઈ ગયા છે અને કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના પોતે નુમાઇંદા હોય તેમ, સામેની પાર્ટીના પ્રવક્તા કે પ્રતિનિધિ સામે પહેલા પક્ષનો બચાવ કરવા ઉતરી પડે છે, એ માટે તેઓ ડીબેટમાં બોલાવેલા સમાજમાન્ય માન્ય વ્યક્તિના અપમાન સુદ્ધા કરતાં અચકાતા નથી. ગાળાગાળી જેવી નિમ્ન સ્તરની ભાષા, તર્ક વગરના કુતર્કો જેવી દલીલો, જોરજોરથી બુમ બરાડા, રેપ, મર્ડર જેવી ઘટનાને અનિચ્છનીય વળ આપી આપીને મમળાવ્યા કરવાની કુચેષ્ટા, પીડિતોના પરિવાર જનોને પોલીસ તરફથી ટેંશન હોય જ એ ઉપરાંત ટીવી પત્રકારો બાકીની કસર પુરી કરવામાં બાકી નથી રાખતાં. ટીઆરપી વધારવા માટે ગમ્મે તે હદે જતાં, સંવેદના ઘવાય એવા પ્રશ્નો પીડિતના પરિવાર જનોને પૂછતાં તેઓ જરાપણ અચકાતા નથી. અમુક અમુક ન્યૂઝ એન્કરની બોડી લેંગ્વેજ, બોલવાની સ્ટાઇલ, ભાષાનું સ્તર જોઈને સોફેસ્ટિકટેડ ગુંડા જ લાગે. જે-તે પક્ષના પ્રવક્તા બની બેઠેલા, ’ટીઆરપી પરમો ધર્મ’ સમજી બેઠેલા આવા લેભાગુ ન્યૂઝ એન્કર્સને જોઈને દુરદર્શનના સો ટચના સોના જેવા ન્યૂઝરીડર્સ યાદ આવી જાય છે

ભારતિય ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર

5 સપ્ટેમ્બર 1959 ભારતમાં એક નવા યુગની એટલે કે દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે આ ચેનલ પરીક્ષણના ભૂમિકાએ શરૂ કરવામાં આવી હતી એ અંતર્ગત પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જે રજૂ કર્યું હતું પ્રતિમા પૂર્વે પુરીએ. આમ, પ્રતિમા પુરી દૂરદર્શન અથવા કહો કે ભારતના ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર છે, જેમણે અવકાશયાત્રી યુરી ગેગ્રીનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં દૂરદર્શન પર આપણે સેંકડો ન્યૂઝ એન્કર આપ્યા છે. દૂરદર્શનના કેટલાક ન્યૂઝએન્કર , જેઓ એક સમયે લોકોના દિલ પર રાજ કરતા હતા.

દૂરદર્શનના યાદગાર એન્કર્સ

દૂરદર્શનના યાદગાર એન્કર્સમાં સલમા સુલતાનનું નામ સૌથી પહેલા આવે છે. તેમણે 1967થી 1997 સુધી 30 વર્ષ સુધી દૂરદર્શનમાં એન્કર તરીકે કામ કર્યું. દૂરદર્શન પર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની જાણ કરનાર તેઓ પ્રથમ એન્કર હતાં. વિશિષ્ટ રીતે સાડી રેપ અપ કરવાની તેમની સ્ટાઇલ, વાળમાં ગુલાબ અને ગાલમાં ખંજન સાથે મુદાસરની વાત, મક્કમ છતાં ધીમો અને શાલીન, ઉતરચડ વગરનો સ્થિર અવાજ… , ઈંગ્લીશમાં ન્યૂઝ આપતા ગીતાંજલી ઐયર તેમની હેરસ્ટાઇલ અને ઇંગ્લિશ પરની પક્કડ ઉપરાંત ભાષા સાદગી માટે બધાને યાદ રહેશે.

એન્જીનયરીંગ પાસ શમ્મી નારંગની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ એક લાખ ઉમેદવારોમાંથી દૂરદર્શનમાં પસંદ થયા હતા અને તેઓ 1970-80ના દાયકા દરમિયાન દૂરદર્શનનો પ્રખ્યાત ચહેરો હતા. કોટના ખિસ્સામાં રૂમાલ અને ગુલાબ એમની સ્ટાઇલ રહેતી. ઠસ્સાદાર ઘેઘુર અવાજ સાથે બુલેટિન સમાપ્તિ વખતે જરાક હસીને ખિસ્સામાં પેન મુકવાની એમની સ્ટાઇલ યાદગાર હતી.જો કે અવાજ આજે પણ તેઓ લોકપ્રિય અને સફળ વોઇઝઓવર આર્ટિસ્ટ છે. દિલ્હી મેટ્રો, રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ, મુંબઈ મેટ્રો, બેંગ્લોર મેટ્રો, હૈદરાબાદ મેટ્રો રેલ અને જયપુર મેટ્રોમાં જેમનો અવાજ સંભળાય છે તે શમ્મી નારંગ છે.

શોભના જગદીશન સરલા મહેશ્વરીની ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી સાડી, ઊંચી હેર સ્ટાઇલમાં સરસ રીતે બાંધેલા વાળ.. સૌમ્ય અવાજ ચહેરા પર હળવો મેકઅપ અને હળવું સ્મિત.. બધાજ બેંગોલી સાડી પહેરતા હોય ત્યારે નેશનલ ચેનલ પર ગુજરાતી પદ્ધતિએ સાડી પહેરીને બેસવાની હિંમત પણ દાદ માંગી લે, એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે મારા મમ્મીને મેં હંમેશા આ પદ્ધતિએ સાડી પહેરતા જોયા હતા, તેઓ એટલા સૌજન્યપૂર્ણ ગ્રેસફુલ લાગતા કે મારા મનમાં એ છબી હંમેશા અંકિત રહી. મારા પપ્પાએ પણ મને કહ્યું કે જેટલી ઓરીજીનલ, પોતાનાથી નજીક અને સહજ રહીશ એ લોકોને વધુ અપીલ કરશે. આ ઉપરાંત,નીતિ રવિન્દ્રન – મંજરી જોશી, સિમી સેરોન, જે. વી. રમણ, વેદ પ્રકાશ,અવિનાશ કૌર સરીન, મીનુ તલવાર…કંઈ કેટલાયે નામ….

વર્તમાનનાં ન્યૂઝ એન્કર્સમાં તે સરળતા પણ ખતમ થઈ ગઈ છે, જે આપણે પહેલા જોતા હતા. આજે એન્કર્સ ઢગલો મેક-અપ કરીને દર્શકો સામે પોતાની જાતને રજૂ કરે છે. જેને ન્યૂઝવેલ્યુ કહીએ એવું, સમાચારનું એ સ્તર નથી રહ્યું જે દુરદર્શન સમયે હતું. આજે એન્કરના વર્તનમાં શાલીનતાનો અભાવ જોવા મળે છે. દુરદર્શન ન્યૂઝ એન્કરનું વર્તન ખૂબ જ નમ્ર અને સૌમ્ય રહેતું. દૂરદર્શન પરના એન્કર ખૂબ જ સાદગી અને શાલીનતાથી સમાચાર વાંચતા. જેના કારણે લોકોને સમાચાર જોવાની અલગ જ મજા આવતી હતી. અવાજમાં ગંભીર્ય, એક પ્રકારનો ઠહેરાવ, નેગેટિવ કે દુ:ખદ સમાચાર આપતી વખતે અવાજમાં સાહજિક સ્વાભાવિક ધીમો અને પરિસ્થિતિની ગંભીરતા સમજીને એ મુજબનો રહેતો. વાતને બઢાવી ચડાવી કે ઘટાડીને કહેવાની બિઝનેસ ટ્રિક એ વખતના ન્યૂઝરીડર્સમાં નહોતી. કે જે-તે ન્યૂઝમાં પોતાનો અભિપ્રાય કે મત કે દ્રષ્ટિ ઉમેરી લોકો સમક્ષ રજુ કરવાનો ટ્રેન્ડ પણ નહોતો. ન્યૂઝરીડર્સ તદ્દન નિર્લેપભાવે જે -તે સમાચાર લોકો સમક્ષ રજુ કરી તેમાંથી પોતે બહાર નીકળી જતાં. જે માનવીય અભિગમ, જે જાદુ, જે સાદગી અને સ્થિરતા, સૌજન્યપૂર્ણ વ્યવહાર અને સૌમ્યતા દૂરદર્શનના એન્કરોમાં હતી, તે અત્યારે કોઈ ન્યૂઝ એન્કરમાં જોવા મળતી નથી.

You Might Also Like

ગુરુના મહિમા બાબતે શું લખવું?

ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું માનવામાં આવે છે

અમેરિકાનો ઈન્ડિપેન્ડન્સ ડે

‘આજે સંસદીય પક્ષની બેઠક મળી રહી હતી અને તેમાં લોકશક્તિ મંચે પોતાનો નેતા ચૂંટી કાઢવાનો હતો’

મૌનનું મહાત્મ્ય

TAGGED: india, worldtelevisionday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article મોટી મોણપરીના મતદારોનો કેવો છે મિજાજ…? જુઓ ખાસ-ખબર ELECTION EXPRESS
Next Article તાલાલામાં અંધશ્રધ્ધાની ઘટનામાં ફઈબાની જામીન અરજી ફગાવતી વેરાવળ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
પેરિસની હરાજીમાં જેન બિર્કિનની હર્મેસ બેગ 85 કરોડ રૂપિયામાં વેચાઈ
રેસીપી ટાઇમ: સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે હેલ્થી સોજી પિઝા ટોસ્ટ
મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
“ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ગુરુના મહિમા બાબતે શું લખવું?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું માનવામાં આવે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Authorઆંતરરાષ્ટ્રીય

અમેરિકાનો ઈન્ડિપેન્ડન્સ ડે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?