એકસાથે 14 વિમાનો પાર્ક થઇ શકશે : 18000 પ્રવાસીઓના હેરફેરની ક્ષમતા
રાજકોટની ભાગોળે હિરાસર ખાતે નિર્માણ પામી રહેલા નવા વિશાળ ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઉદ્દઘાટન કરવાની તૈયારી ચાલી રહી છે પરંતુ તે માર્ચ-2023માં કાર્યરત થવાની શક્યતા છે અને પીકઅવર્સ દરમિયાન એકસાથે 1800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની ક્ષમતા હશે.
- Advertisement -
રાજકોટથી અંદાજીત 30 કિલોમીટર દૂર રાજકોટ-અમદાવાદ હાઈવે પર 2534 એકરમાં નિર્માણ પામી રહેલા હિરાસર એરપોર્ટનું કામ ઝડપભેર આગળ વધી જ રહ્યું છે. 1405 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ એરપોર્ટનું ઉદ્દઘાટન ગુજરાત વિધાનસભાની ડીસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પૂર્વે જ કરી દેવાની તૈયારી છે. જો કે તે માર્ચ-2023માં કાર્યાન્વિત થઇ શકે એવા સંકેત સાંપડ્યા છે. હિરાસર એરપોર્ટમાં અત્યાધુનિક સુવિધા અને પ્રવાસીઓ માટે અનેકવિધ સવલતો ઉભી કરવામાં આવી છે. એરપોર્ટમાં કાઉન્ટરોની સંખ્યાથી માંડીને આવશ્યક સુવિધાઓ પણ ઘણી વધારે રાખવામાં આવી છે. બેઝમેન્ટ સિવાય 23,000 ચોરસમીટરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલો, સ્ટેટ ઓફ આર્ટ સુવિધાથી સજજ હશે. આ સિવાય મુસાફરો માટે ચાર બોર્ડિગ બ્રીજ હશે. ત્રણ ક્ધવેયર બેલ્ટ અને 20 ચેકીંગ કાઉન્ટર રહેશે. ફાયર એલાર્મ તથા ફાયર ફાઈટીંગની પણ અત્યાધુનિક ટેકનોલોજી ઉભી કરવામાં આવનાર છે. કાર-ટેક્સી સહિતના વાહનો માટે પર્યાપ્ત પાર્કિંગ સુવિધા પણ રહેવાની છે. એરપોર્ટમાં એકસાથે 14 વિમાનો પાર્ક થઇ શકશે.