ત્રણ બાળકો અને એક મહિલાનું ભારે વરસાદના કારણે મોત
લાંબા સમયથી આકરી ગરમી બાદ શુક્રવારે સવારે દિલ્હી- NCRમાં ભારે વરસાદ પડ્યો. રસ્તાઓ અને ખાડાઓ પાણીથી ભરાઈ ગયા છે. જેના કારણે રસ્તા પરના વૃક્ષો જમીનદોસ્ત થઈ ચૂક્યા અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ ગઈ છે. મુશળધાર વરસાદને કારણે નજફગઢ વિસ્તારમાં ખેતરના માળખા પર એક વૃક્ષ પડવાથી, છત તૂટી પડી જેમાં ચાર લોકો- ત્રણ બાળકો અને એક મહિલાના મોત નિપજ્યાં છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
- Advertisement -
અનેક ફ્લાઇટ્સ થઈ ડિલે
તૂફાની પવનને કારણે લગભગ 200 જેટલી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ત્રણ ફ્લાઇટ્સ અમદાવાદ અને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટરડાર મુજબ, દિલ્હી એરપોર્ટ પર આગમનના આશરે 21 મિનિટ અને પ્રસ્થાનમાં 61 મિનિટનો વિલંબ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વ્યક્તિગતરૂપે મુલાકાત લીધી
- Advertisement -
દિલ્હીના અસરકારક વિસ્તારોમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુલાકાત લીધી હતી અને સરકાર તત્પર રહી સક્રીયતાથી કાર્ય કરે છે તથા જલ્દીથી સમસ્યાઓનો નિકાલ કરી આપશે તેની ખાતરી આપી. આ ઉપરાંત તેમનું નિવેદન પણ આવ્યું કે આ બીમારીઓ આપણને પહેલાની સરકાર તરફથી મળેલી છે, જેને દૂર કરવામાં થોડો સામે લાગશે. તેમણે મજનૂ ટીલા સહિત દરેક જળભરાવ ક્ષેત્રોમાં મુલાકાત લીધી અને વ્યક્તિગતરૂપથી નિરીક્ષણ કર્યું હોવાનું જણાય છે.
સામાન્ય લોકોને મુસાફરીમાં તકલીફ
ગુરુગ્રામમાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે સામાન્ય માણસો અને ઑફિસ જતાં લોકોને પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી પડી છે. મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે જેણે કારણે લોકોને મુસાફરીમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો.