દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે
દેશભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. આ તરફ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં શનિવાર અને રવિવારના રોજ થયેલા રેકોર્ડ વરસાદે મોટા પાયે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ બની હતી. જેને લઈ અત્યાર સુધી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. આ તરફ IMDએ કહ્યું કે, ચોમાસાના વરસાદે દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. IMDએ ગોવા અને ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
- Advertisement -
સોમવાર 10 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદમાં 15 ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દિલ્હીના ગાઝિયાબાદમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામમાં વરસાદને કારણે લોકોની હાલત દયનીય છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા પાંચ જિલ્લા દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમ સિંહ નગરમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને દેહરાદૂનમાં 10 જુલાઈ, 10 અને 11 જુલાઈએ ઉધમ સિંહ નગર, અલ્મોડામાં 10 થી 12 જુલાઈ અને નૈનીતાલમાં 10 થી 13 જુલાઈ સુધી ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
— RWFC New Delhi (@RWFC_ND) July 9, 2023
- Advertisement -
ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન 200 મિલીમીટર (mm) થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીરથી હરિયાણા સુધીના ઘણા રાજ્યો સતત બીજા દિવસે રેડ એલર્ટ પર છે. દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો જે 41 વર્ષમાં જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. જે વરસાદ શરૂઆતમાં ગરમી અને ભેજમાંથી રાહત લાવ્યો હતો, તે હવે પર્વતીય રાજ્યોમાં વિનાશક બની ગયો છે અને નદીઓ વહેતી થઈ છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થાય છે. પૂરને કારણે કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારના શહેરો ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ ભારે વરસાદ થયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે જુલાઈમાં દેશમાં ભારે વરસાદ લાવવો એ સામાન્ય છે, પરંતુ તીવ્ર પશ્ચિમી વિક્ષેપએ વરસાદની પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવી છે. આ ભૂમધ્ય પ્રદેશમાંથી નીકળતી વરસાદી પ્રણાલીઓ છે, જે પશ્ચિમ હિમાલયને અસર કરે છે અને વરસાદનું કારણ બને છે.
#WATCH | Madhya Pradesh | The four people who were stranded in the Narmada River near Gopalpur Village in Jabalpur yesterday, have now been safely rescued by NDRF team. pic.twitter.com/kQM7KYnQNZ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 10, 2023
NDRFએ નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા
NDRFની ટીમે હવે મધ્યપ્રદેશના જબલપુરના ગોપાલપુર ગામ પાસે રવિવારે નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.
નોઈડા, દિલ્હી અને ફરીદાબાદમાં શાળાઓ બંધ
દિલ્હી અને ગુરુગ્રામ બાદ નોઈડા પ્રશાસને પણ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની તમામ શાળાઓને આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આજે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ તરફ ફરીદાબાદ શાળા પ્રશાસને પણ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓ સોમવારે બંધ રહેશે.
#WATCH | Himachal Pradesh: In a late-night rescue operation, NDRF team rescued 6 people who were stranded in the Beas River near Nagwain village in Mandi district due to the rise in the water level of the river following incessant rainfall in the state.
(Visuals: NDRF) pic.twitter.com/RQMlHKnBUV
— ANI (@ANI) July 10, 2023
હિમાચલમાં વરસાદનું તાંડવ, 8ના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યના ત્રણ જિલ્લા, મંડી, કુલ્લુ અને લાહૌલ સ્પીતિમાં કુલ પાંચ પુલ ધોવાઈ ગયા છે અને બિયાસ અને ચંદ્રભાગા નદીમાં વહી ગયા છે. તે જ સમયે, વરસાદ સંબંધિત ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે અને ત્રણ લોકો લાપતા છે.
NDRFએ 6 લોકોના જીવ બચાવ્યા
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાગવૈન ગામ પાસે બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવારે મોડી રાત્રે NDRFની ટીમે રાજ્યમાં અવિરત વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા.